બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / wooden furniture and door caring tips in monsoon
Bijal Vyas
Last Updated: 03:32 PM, 23 July 2023
Furniture Care Tips in Monsoon:ચોમાસુ ઘણા લોકોની મનપસંદ ઋતુ હોય છે, પરંતુ ઘરનું મેન્ટેનેંસ જાળવણી આ સિઝન ઘણી પડકારજનક હોય છે. ખાસ કરીને લાકડામાંથી બનેલી વસ્તુઓ જેવી કે દરવાજા અને ફર્નિચરની યોગ્ય કાળજી લેવી ખૂબ મુશ્કેલ બની જાય છે. વરસાદની સિઝનમાં ભેજને કારણે લાકડા ફૂલી જાય છે, જેના કારણે તેનો ઉપયોગ ખૂબ જ મુશ્કેલીભર્યો બની જાય છે. એટલું જ નહીં, આ વસ્તુઓનું લાઇફ ઘટે છે. ચોમાસામાં લાકડાના ફર્નિચરને લઈને બેદરકારીને કારણે તેને ઘણું નુકસાન પણ થઈ શકે છે.
ચોમાસામાં તમારા ફર્નિચરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરશો, તો વરસાદમાં ફર્નિચરને નુકસાન થવાનું જોખમ ઘટાડી શકાય છે. તેનાથી તમારું ફર્નિચર વર્ષો સુધી સારુ રહેશે.
ફર્નિચરની દેખરેખ ટિપ્સ
1. દરેક ઘરમાં ફર્નિચરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ઘરોમાં લાકડાનું ફર્નિચર હોય છે જેને વરસાદમાં નુકસાન થવાનું રિસ્ક હોય છે. આ સાથે લાકડાની અન્ય વસ્તુઓમાં પણ સમસ્યા થઇ શકે છે. તેવામાં જરૂરી છે કે, ફર્નિચરને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં પાણી ન પહોંચી શકે. વરસાદ દરમિયાન પાણીના લીકેજ સાથે બારી, દરવાજા અથવા અન્ય કોઈ જગ્યાએ ફર્નિચર રાખવાનું ટાળો.
2. લાકડાની વસ્તુઓ, ખાસ કરીને ફર્નિચરની જાળવણી માટે, સમય સમય પર તેને પોલિશ કરવું ખૂબ જ જરુરી છે. ફર્નિચરને લાંબા સમય સુધી સારું રાખવા માટે, દર બે વર્ષે તેને પોલિશ કરવું વધુ સારું છે. આ ફર્નિચરને હવામાન અને ઉધઈ જેવી સમસ્યાઓથી બચાવશે.
3. લાકડાના ફર્નિચર વરસાદમાં ફૂલી જાય છે, આવી સ્થિતિમાં તેમાંથી ભેજ દૂર કરવા માટે સૂકા લીમડાના પાન અથવા મીઠાનો ઉપયોગ અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે વરસાદમાં ફર્નિચરને દિવાલથી થોડુ દૂર રાખવું જોઈએ. કારણ કે ક્યારેક દિવાલ પર ભીનાશને કારણે તેની અસર ફર્નિચર પર પડે છે.
4. ચોમાસામાં ફર્નિચર સાફ કરવા માટે હંમેશા સૂકા કપડાનો ઉપયોગ કરો. આ સાથે, નેપ્થાલિનની ગોળીઓ, લીમડો અથવા કપૂરનો ઉપયોગ અન્ય લાકડાની વસ્તુઓ જેમ કે કબાટ, ડ્રોઅરને જંતુઓથી બચાવવા માટે કરી શકાય છે.
5. જો તમારું ફર્નિચર જૂનું થઈ ગયું છે અને તેમાં છિદ્રો છે, તો તે છિદ્રોને તરત જ ભરી દો અથવા તેને તે જગ્યાએ પોલિશ કરો. આમ કરવાથી ફર્નિચરને જંતુઓ અને ભેજ બંનેથી સુરક્ષિત રહેશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime