બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
Hiralal
Last Updated: 03:45 PM, 26 June 2023
આજકાલ ટાઈટેનિક ફરી ચર્ચામાં આવ્યું છે. નોર્થ એટલાન્ટિકમાં ડૂબી ગયેલા ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ટાઈટન સબમરિન નીકળી હતી જોકે તેને પણ દરિયામાં એક્સિડન્ટ નડતાં તે તૂટી ગઈ હતી અને તેમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. ટાઇટન સબમરીનનો કાટમાળ કેનેડાની રિમોટલી ઓપરેટેડ યુએવી દ્વારા મળી આવ્યો છે. ટાઈટેનિકને ડૂબ્યાંને 111 વર્ષનો સમય વહી ગયો છે છતાં પણ આજે લોકોને તેની સાથે જોડાયેલી દરેક વાત જાણવામાં રસ છે. ટાઈટેનિક સૌથી મોટું પેસેન્જર જહાજ હતું. 10 એપ્રિલ, 1912ના રોજ, તે બ્રિટનના સાઉધમ્પ્ટનથી પોતાની પહેલી સફર પર નીકળ્યું હતું અને તેને અમેરિકાના ન્યૂયોર્ક પહોંચવાનું હતું.
ચાર દિવસની મુસાફરી બાદ 14 એપ્રિલ, 1912ના રોજ ટાઈટેનિક આઈસબર્ગ (હિમશીલા) સાથે ટકરાઈને ડૂબી ગયું અને તેમાં 1,517 લોકોના મોત થયા હતા.
ટાઈટેનિકની પ્રથમ સફર તેની અંતિમ યાત્રા બની હતી. એવું કહેવામાં આવે છે કે જો તે સમયે જહાજમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હોત, તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત. તો આવો જાણીએ ટાઇટેનિક સાથે જોડાયેલી આવી જ કેટલીક રહસ્યમયી અને રસપ્રદ વાતો વિશે.
64ને બદલે ખાલી 20 લાઈફબોટ મૂકાઈ
ટાઈટેનિક જહાજની ડિઝાઇન એવી હતી કે તે આરામથી 64 લાઈફબોટ્સ લઈ જઈ શકતું હતું, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી અને માત્ર 20 લાઇફબોટ તેમાં રાખવામાં આવી.
ડૂબવાના સમયે લાઈફબોટ પૂરી ભરવામાં નહોતી આવી
જે સમયે હિમશીલા સાથે ટકરાઈને ટાઈટેનિક ડૂબી રહ્યું હતું તે સમયે લાઈફબોટમાં ઉતારીને ઘણા લોકોને મોકલી દેવાયા હતા પરંતુ તેમાં પણ લોચો વળ્યો અને અડધી બોટ તો ખાલી રાખવામાં આવી, જો વધારે લોકો તેમાં ભર્યાં હોત વધારે બચી શક્યા હોત.
આઈસબર્ગની ચેતવણીની અવગણના
ટાઈટેનિકની ટક્કર પહેલા વધારે આઈસબર્ગની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ જહાજના ક્રૂએ તેની અવગણના કરી હતી. અધિકારીઓએ એન્જિનને આઈસબર્ગ દેખાયાના 30 સેકન્ડ પહેલા રિવર્સ ચલાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આઈસબર્ગથી બચવા માટે આ પૂરતું ન હતું. જો આઈસબર્ગ 30 સેકન્ડ પહેલા દેખાઈ હોત તો ટાઈટેનિક ન ડૂબ્યું હોત.
દૂરબીન નહોતું
ટેલિસ્કોપનો અભાવ પણ તેના ક્રેશ થવાનું કારણ છે. ક્રૂ મેમ્બર્સ પાસે દૂરબીન ન હતી. એવું કહેવામાં આવે છે કે જે લોકરમાં ટેલિસ્કોપ હતું તેની ચાવી ખોવાઈ ગઈ હતી, નહીં તો ટેલિસ્કોપની મદદથી આઈસબર્ગ પહેલેથી જ જોઈ શકાયું હોત.
ટાઈટેનિક વિશેના તથ્યો
- ટાઈટેનિકનું બાંધકામ 31 માર્ચ 1909ના રોજ શરૂ થયું હતું અને 31 મે, 1911ના રોજ પૂર્ણ થયું હતું. તેના નિર્માણ દરમિયાન બે લોકોના જીવ ગયા અને 246 લોકો ઘાયલ થયા.
- આ જહાજ એટલું શક્તિશાળી હતું કે તેનો અવાજ 16 કિમી સુધી સંભળાયો હતો.
- જહાજ ડૂબવાના સમાચાર સાંભળવા છતાં સંગીતકારોએ ગીતો વગાડવાનું ચાલુ રાખ્યું હતું જેથી કરીને લોકો અંતિમ સમયમાં થોડી ક્ષણો ખુશીથી વિતાવી શકે છે.
આ કારણો પણ હતાં.
- ટાઈટેનિક જે હિમશિલા સાથે ટકરાયું હતું તે 10 હજાર વર્ષ પહેલા ગ્રીનલેન્ડથી અલગ પડીને દરિયામાં તરતી હતી અને ટક્કરના બે અઠવાડિયા બાદ નષ્ટ થઈ ગઈ હતી. ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં જ્યાં ટાઈટેનિક ક્રેશ થયું હતું ત્યાંનું તાપમાન -2 ડિગ્રી હતું. આ તાપમાનમાં કોઈ પણ વ્યક્તિ 15 મિનિટથી વધુ ન બચી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ