બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / Politics / અમેઠી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અમાનત છે, જયારે પણ કહેવામાં આવશે ત્યારે પરત કરી દઇશઃ કિશોરીલાલ શર્મા

લોકસભા ચૂંટણી 2024 / અમેઠી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અમાનત છે, જયારે પણ કહેવામાં આવશે ત્યારે પરત કરી દઇશઃ કિશોરીલાલ શર્મા

Last Updated: 09:54 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિશોરી લાલ શર્માએ જણાવ્યું હતું કે, "ગાંધી પરિવારે ક્યારેય અમેઠીને રાજનીતિના દૃષ્ટિકોણથી જોયુ નથી. તેઓ તેને પોતાનું ઘર અને પરિવાર માને છે

યુપીની અમેઠી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ પોતાને ગાંધી પરિવારના 'સેવક' ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અમેઠી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની અમાનત છે, જ્યારે પણ તેમને કહેવામાં આવશે ત્યારે તેઓ પરત કરી દેશે. હકીકતમાં, અમેઠી અને રાયબરેલીને નેહરુ-ગાંધી પરિવારના ગઢ તરીકે જોવામાં આવે છે.

અમેઠી એ રાહુલ અને પ્રિયંકા ગાંધીની અમાનત છેઃ કિશોરીલાલ શર્મા

અમેઠીના મુસાફિરખાનામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કિશોરી લાલ શર્માએ કહ્યું, "અમેઠી એ રાહુલ અને પ્રિયંકા ગાંધીની અનામત' છે જે તેમની 'ધરોહર' તરીકે મારી સાથે છે. જ્યારે પણ પરિવાર મને કહેશે, હું તેમને પરત કરી દઇશ.તમને જણાવી દઈએ કે અમેઠીથી ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે કિશોરી લાલને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ રાહુલ ગાંધી અહીંથી સાંસદ હતા. પરંતુ 2019ની ચૂંટણીમાં સ્મૃતિએ તેમને હરાવ્યા હતા. જે બાદ રાહુલ અમેઠી છોડીને વાયનાડ ગયા હતા. 2024ની ચૂંટણીમાં તેમણે અમેઠીને અડીને આવેલી બેઠક રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે.

ગાંધી પરિવારે ક્યારેય અમેઠીને રાજનીતિના દૃષ્ટિકોણથી જોયુ નથી

કિશોરી લાલ શર્માએ જણાવ્યું હતું કે, "ગાંધી પરિવારે ક્યારેય અમેઠીને રાજનીતિના દૃષ્ટિકોણથી જોયુ નથી. તેઓ તેને પોતાનું ઘર અને પરિવાર માને છે. હું આ પરિવાર સાથે 1983થી 'સેવક' તરીકે જોડાયેલો છું. જ્યારે હું અમેઠીમાં છું ત્યારે હું 22 વર્ષનો હતો."કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલે વધુમાં કહ્યું કે, "હું ગાંધી પરિવારનો 'સેવક' છું, અમેઠીનો 'સેવક' છું અને 'સેવક' રહીશ. પરિવારનો આદેશ હતો અને તેથી જ હું ચૂંટણી લડી રહ્યો છું પરંતુ આજે પણ હું મારી જાતને 'સેવક' માનું છું.

આ લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી

શર્માએ કહ્યું કે આ લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી છે. છેલ્લા પાંચ વર્ષમાં અમેઠીએ ઘણું સહન કર્યું છે. અમેઠીમાંથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, પેપર મિલ અને મેગા ફૂડ પાર્ક જેવી ઘણી સંસ્થાઓ દૂર કરવામાં આવી છે. અમેઠી-ઉંચાહર રેલ લાઇન પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે.દેશમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે તેના પર ભાર મુકતા તેમણે કહ્યું કે અગ્નિવીર યોજનાના નામે યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને તેમના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.શર્માએ એમ પણ કહ્યું કે, "ભાજપ પાંચ કિલો રાશન આપવાની વાત કરે છે પરંતુ રખડતા પ્રાણીઓ ખેડૂતોના પાકને નષ્ટ કરે છે અને કેટલાય ક્વિન્ટલનું નુકસાન કરે છે તેની વાત નથી કરતી." તેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અને લોકશાહી અને બંધારણની રક્ષામાં યોગદાન આપવાનું આહ્વાન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ