બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ધર્મ / સંબંધ / પિતૃ દોષથી મુક્તિ જોઈતી હોય તો વૈશાખ અમાવસ્યાના દિવસે કરો આ કામ, પિતૃઓના આશીર્વાદ મળશે

Vaishakh Amavasya 2024 / પિતૃ દોષથી મુક્તિ જોઈતી હોય તો વૈશાખ અમાવસ્યાના દિવસે કરો આ કામ, પિતૃઓના આશીર્વાદ મળશે

Last Updated: 04:33 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માન્યતાઓ અનુસાર વૈશાખ અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સાથે જ અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

puja1.jpg

8મી મે 2024 એ વૈશાખ કૃષ્ણ પક્ષના સ્નાન-દાનની અમાવસ્યા છે. શાસ્ત્રોમાં વૈશાખ માસના સ્નાન અને દાનની અમાવસ્યાનું ઘણું મહત્વ છે. આ દિવસે કોઈ પવિત્ર તીર્થ સ્થાન પર અવશ્ય સ્નાન કરો. માન્યતાઓ અનુસાર વૈશાખ અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. બીજી તરફ જો તમે અમાવસ્યાના દિવસે ગંગા નદી પર જઈને સ્નાન કરી શકતા નથી તો ઘરમાં ગંગા જળ ઉમેરીને સ્નાન કરવાથી પણ શુભ ફળ મળે છે. આ સિવાય અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવાથી દરેક પ્રકારના પિતૃ દોષથી મુક્તિ મળે છે. ચાલો જાણીએ વૈશાખ અમાવસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ.

આ મંત્રનો જાપ કરો

વૈશાખ અમાવસ્યાના દિવસે 'ઓમ કુલ દેવતાભ્યો નમઃ' મંત્રનો જાપ કરો. અમાવસ્યાના દિવસે આ મંત્રનો જાપ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે.

અમાવસ્યાના દિવસે દાન કરો

પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે વૈશાખ અમાવસ્યાના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને અન્ન, પૈસા, વસ્ત્ર અને ખાંડનું દાન કરો. આમ કરવાથી પરિવાર પર પૂર્વજોની કૃપા પણ બની રહે છે.

પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક આપો

વૈશાખ અમાવસ્યાના દિવસે પશુ-પક્ષીઓને અનાજ ખવડાવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

પીપળના વૃક્ષની પૂજા કરો

વૈશાખ અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. અમાવસ્યાના દિવસે પીપળના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો અને તેની આસપાસ 11 કે 21 વાર પરિક્રમા કરો.

આ પણ વાંચોઃ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ, પિતા અને પતિ માટે પણ નસીબદાર, તમે પણ જાણો

ભગવાન વિષ્ણુની પૂજા

પૂર્વજોની આત્માની શાંતિ માટે વૈશાખ અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો. એવું કહેવાય છે કે આવું કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. અમે આ બાબતે કોઇપણ દાવો કરતા નથી. તમે ઉપાય અજમાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ