બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
Last Updated: 08:45 PM, 7 May 2024
ગુજરાતની 25 બેઠકો સહિત દેશની કુલ 93 બેઠકો પર લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.. ગુજરાતમાં 5 વાગતા સુધીમાં ગુજરાતમાં 55.22 ટકા મતદાન થયા હોવાની વિગતો મળી છે. સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી લોકસભા બેઠક પર થયું છે.. વલસાડ લોકસભા બેઠક પર 68.12 ટકા મતદાન થયું છે, જ્યારે અમરેલીમાં 45.59 ટકા મતદાન થયું છે.
ADVERTISEMENT
મતદાન જાગૃતિ માટેના પ્રયાસોની ખાસ અસર જોવા ન મળી
સૌથી મહત્વની વાત એ હતી કે આ વખતે મતદાન જાગૃતિ માટેના ચૂંટણીપંચ અને તંત્રના અનેક પ્રયાસો છતા મતદાન પ્રત્યે લોકોમાં જોઇએ તેટલો ઉત્સાહ જોવા મળ્યો ન હતો.. સોશિયલ મીડિયા મારફતે પણ મતદાન જાગૃતિ માટે પ્રયાસો થયા હતા પરંતુ તેની ખાસ અસર જોવા ન મળી..એટલું જ નહીં મતદાનને પ્રોત્સાહન આપવા માટે મતદારોને આપવામાં આવેલી ઓફરો પણ કારગત ન નીવડી હોય તેવું લાગ્યું.
ADVERTISEMENT
ડિસ્કાઉન્ટ્સ અને ઓફર્સ પણ કારગત નહીં
હોટલ એસોસિએશન દ્વારા હોટલમાં ભોજનના બીલમાં ડિસ્કાઉન્ટ હોય કે પછી કેમિસ્ટ દ્વારા દવાના બિલમાં ડિસ્કાઉન્ટની ઓફર લોકોને જોઇએ તેટલી અસર ન કરી શકી..અને મતદાનનો આંકડો 2019ના ઇલેક્શન કરતા વધવાની આશા હતી પરંતુ તેનાથી ઘટયો
ઓછું મતદાન શું સુચવે છે ?
માનવામાં આવે છે કે ઓછુ મતદાન સત્તાપક્ષને નુકસાન કરનારુ હોય છે. એવું માનવામાં આવે છે કે મતદારની નારાજગી કે નિષ્ક્રિયતા હમેંશા શાસક પક્ષ સામે હોય છે. લોકો જ્યારે શાસક પક્ષથી નારાજ હોય ત્યારે મતદાનથી અલિપ્ત રહેતા હોય છે.. જો કે આ તબક્કે કંઇપણ કહેવું ઉતાવળીયું ગણાશે, ત્યારે હવે સાચા નિષ્કર્ષ માટે પરિણામની રાહ જોવી રહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT