બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Kishor
Last Updated: 05:34 PM, 4 November 2023
ભાગદોડ ભરેલા આ જીવનમાં લોકોને થાક લાગવો, ઉંઘ આવવી, બેચેની થવી ખુબ સામાન્ય વાત બની ગઈ છે. એમાં પણ ઓફિસમાં કામ કરતા હોય ત્યારે જો વચ્ચે વચ્ચે બ્રેક મળી જાય તો સ્વાસ્થય પણ સારૂ રહે છે. ઓફિસમાં હોય ત્યારે લંચ કર્યા પછી ઉંઘ વધારે આવે છે અને આળસ પણ થાય છે. બપોરે જમ્યા પછીનો સમય પસાર કરવો ખુબ અઘરો હોય છે. જેથી ઘણા લોકો ઓફિસમાં કામ કરતી વખતે સુઈ પણ જાય છે. જેના કારણએ કામ પ્રભાવિત થાય છે. આ સાથે જ જો ઉંઘ ન આવે તો માથાનો દુખાવો પણ થઈ શકે છે.
ઘણા લોકો મુંઝવણમાં હોય છે કે જમ્યા પછી ઉંઘ કેમ આવે છે? ત્યારે યુએસ નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધન મુજબ મનુષ્ય દિવસમાં બે વખત સુવે છે. મોટાભાગના લોકોને રાત્રે સુવામાં કોઈ સમસ્યા આવતી નથી. પણ દિવસ દરમિયાન ઉંઘ લેવામાં સમસ્યા આવે છે. કારણ કે બપોરના સમયે સૂવાનો મોકો મળતો નથી.
દિવસે કેમ આવે છે ઉંઘ?
સંશોધન મુજબ જ્યારે આપણું પેટ ભરાઈ જાય છે ત્યારે આપણને ઉંઘ આવે છે. ખોરાક લીધા પછી આપણુ શરીર તે ખોરાકને પચાવવાનું કામ કરે છે. આ પ્રોસેસ દરમિયાન બ્લડ શુગર પર નિયંત્રણ કરવા માટે આપણુ શરીર ઈંસુલિન રિલિઝ કરે છે. જેનાથી એનર્જી લેવલ ઓછુ થઈ જાય છે. શરીરમાં ઉર્જાની કમીના કારણે લોકોને આળસનો અનુભવ થાય છે.. જેના કારણે ઉંઘ આવવા લાગે છે. જમ્યા બાદ તમને સુસ્તીનો અનુભવ થવા લાગે છે. જેને પોસ્ટપ્રૌડિયલ ડિપ કહેવામાં આવે છે.
જે સ્લીપ હોર્મોનને વધારે છે...
અન્ય ભાષામાં કહીએ તો જમ્યા બાદ શરીરમાં ઈંસુલિનનું લેવલ વધી જાય છે. જેને સ્લીપ હોર્મોનને વધારે છે. જે મગજના સેરોટોનિન અને મેલાટોનિન નામના હોર્મોનમાં બદલાઈ જાય છે.. સેરોટોનિન જેને ફીલ ગુડ હોર્મોન કહેવામાં આવે છે. જે ઉંઘ અને સુસ્તી સાથે જોડાયેલુ છે.. એવામાં જમ્યા બાદ શરીરમાં સેરોટોનિનની માત્રા વધી જાય છે.. જેના કારણે ઉંઘ આવવા લાગે છે.
ઉંઘ આવવાનું આ કારણ પણ હોઈ શકે છે..
દિવસના સમયે વધારે કેલેરી ખાવાથી પણ આપણને ઉંઘ આવવા લાગે છે. પ્રોટીનવાળા ઘણા એવા ફૂડ્સમાં ટ્રિણ્ટૌફેન નામનું કેમિકલ જોવા મળે છે. જે આપણી ઉંઘને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એવામાં ટ્રિણ્ટૌફેન એ વધારે હોવાથી ઉંઘ આપણને આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime