બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Who threw mobile phone on PM Modi's car in Karnataka road show?
Vishal Khamar
Last Updated: 09:09 PM, 1 May 2023
કર્ણાટકના મૈસુરમાં બીજેપીના રોડ શો દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના કાફલા પર અજાણ્યા વ્યક્તિએ મોબાઈલ ફોન ફેંક્યાના એક દિવસ બાદ પોલીસે મોટો ખુલાસો કર્યો છે.ADGP આલોક કુમારનું કહેવું છે કે તેમણે PM નરેન્દ્ર મોદીના વાહન પર ફોન ફેંકનાર વ્યક્તિને ટ્રેસ કરી લીધો છે.જો કે, તેણે ઉમેર્યું હતું કે આમ કરવા પાછળ વ્યક્તિનો "કોઈ ખરાબ ઈરાદો" નહોતો.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે.પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે અહીં રોડ શોમાં ભાગ લીધો હતો.પીએમ મોદીના રોડ શો માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આ દરમિયાન ભાજપના સમર્થકો પણ બેકાબૂ જોવા મળ્યા હતા.પીએમ મોદીના વાહન પર એક વ્યક્તિએ પોતાનો મોબાઈલ ફોન ફેંકી દીધો.પીએમ મોદીની સુરક્ષામાં ઉણપની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા તંત્ર તરત જ એક્શનમાં આવી ગયું હતું.
આ કેસમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) આલોક કુમારે કહ્યું કે ફોન ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરનો છે.તેઓ પીએમ મોદીના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના રક્ષણ હેઠળ હતા.આલોક કુમારે કહ્યું, "જે વ્યક્તિએ પીએમના વાહન પર ફોન ફેંક્યો તેનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. તેણે ઉત્તેજનામાં આ કર્યું. પીએમ એસપીજી સુરક્ષા હેઠળ હતા. ફોન ભાજપના કાર્યકરનો છે. અમે તે વ્યક્તિને શોધી કાઢ્યો છે. ફોન એસપીજી દ્વારા વ્યક્તિને સોંપવામાં આવ્યો છે.
ફોન ફેંકનાર વ્યક્તિનું પોલીસે નિવેદન નોંધ્યું
દરમિયાન, ફોન ફેંકનાર વ્યક્તિને મંગળવારે સવારે નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, PM મોદીની સુરક્ષામાં ભંગની ઘટનામાં, રવિવારે મૈસૂરમાં તેમના રોડ-શો દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વાહન પર મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો.ઘટનાના વિડિયો મુજબ ફોનને પીએમ મોદીના વાહન તરફ ફેંકવામાં આવતો જોઈ શકાય છે.જોકે, વડાપ્રધાન કોઈ દુર્ઘટનામાંથી બચી ગયા હતા.
PM ખાસ રીતે તૈયાર કરાયેલા વાહન પર સવાર
હતા.રોડશો દરમિયાન વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે રોડની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો અને બીજેપી સમર્થકો ઉમટી પડ્યા હતા.પીએમ મોદીએ ખાસ ડિઝાઈન કરેલા વાહનમાં સવાર થઈને લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.રસ્તામાં લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી અને સમર્થનમાં ભાજપના ઝંડા લહેરાવ્યા.
ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં, વડા પ્રધાન કર્ણાટકમાં ભાજપની તરફેણમાં પ્રચાર કરવા માટે ઘણી ચૂંટણી રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને મતગણતરી 13 મેના રોજ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime