બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / What will the society learn from the saints if they commit a scam? Why do the so-called contractors of religion forget Shikshapatri for selfishness?
Vishal Khamar
Last Updated: 08:51 PM, 23 June 2023
સોખડા હરિધામના ત્યાગ વલ્લભ સ્વામી પહેલેથી વિવાદોમાં છે ત્યારે તેમના નામે વધુ એક કૌભાંડ બહાર આવ્યું. રાજકોટની આત્મીય યુનિવર્સિટી જે ટ્રસ્ટ હેઠળ ચાલે છે તે ટ્રસ્ટના નામે ત્યાગ વલ્લભ સ્વામી સામે આશરે 33 કરોડની ઉચાપતની ફરિયાદ થઈ. ફરિયાદ પછીથી ત્યાગ વલ્લભ સ્વામી અને તેના મળતિયાઓ ફરાર છે અને આગોતરા જામીન માટે હવાતિયા મારી રહ્યા છે. આ પહેલા વડોદરાના આંસોજ, દશરથ, મોકસી જેવા ગામમાં ત્યાગ વલ્લભ સ્વામીએ નામ બદલીને જમીન પણ ખરીદી લીધી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી એવુ કહે છે કે જે સંત હોય તેમણે પોતાના નામે જમીન કે મિલકત ખરીદવી નહીં એટલે ધર્મના કહેવાતા ઠેકેદારો પોતાના સ્વાર્થ માટે તેનું કેવું અર્થઘટન કરે છે તે પણ સાબિત થાય છે.. જેને સમાજ સંતની નજરે જુએ છે તે જ જો આવું હીન કક્ષાનું કૃત્ય આચરે તો પછી સમાજ તેની પાસેથી શું શીખામણ લેશે. ત્યાગ વલ્લભ સ્વામી જેવા જ સંતો છે કે જેનાથી કદાચ એક સમય એવો આવશે કે સમાજને સંત અને સંતત્વ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે.
ત્યાગ વલ્લભ સ્વામી સામે કૌભાંડ, ઉચાપતની ફરિયાદ
સોખડા હરિધામના ત્યાગ વલ્લભ સ્વામી ફરી વિવાદમાં આવ્યા. ત્યાગ વલ્લભ સ્વામી સોખડાના પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના છે. ત્યાગ વલ્લભ સ્વામી સામે કૌભાંડ, ઉચાપતની ફરિયાદ થઈ છે. સંત અને સંતત્વ ઉપર સવાલ ઉભા થાય તેવું કૃત્ય આચરવામાં આવ્યું. ત્યાગ વલ્લભ સ્વામીએ કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. શિક્ષાપત્રીથી વિપરીત આચરણ કરવામાં આવ્યું.
ત્યાગ વલ્લભ સ્વામીના કાંડ
રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ઉચાપત મુદ્દે ત્યાગ વલ્લભ સ્વામી સામે ફરિયાદ થઈ છે. આણંદના પવિત્ર જાની નામના વ્યક્તિએ કુલ ચાર લોકો સામે ફરિયાદ કરી છે. સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટની સંસ્થામાં 33 કરોડની ઉચાપત. બેંકમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવ્યા છે. સોખડાના હરિપ્રસાદ દાસજીના અવસાન પછી આ કૃત્ય આચર્યુ છે. તમામ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિ થકી ઉચાપત કરી છે. આત્મીય યુનિવર્સિટી સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલે છે. ત્યાગ વલ્લભ સ્વામીએ 20 ડમી અકાઉન્ટ ખોલાવ્યા જેમાં 9 સાધ્વીજીના નામ છે. ચેરિટી કમિશનરની તપાસમાં સમગ્ર ઉચાપત બહાર આવી છે. ત્યાગ વલ્લભ બેંકના તમામ દસ્તાવેજ પોતાની પાસે રાખતા હતા. તાલુકા પોલીસે ફરિયાદ નોંધતા સ્વામી અને તેના મળતિયાઓ ફરાર થયા. સોમવારે આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે. ફરિયાદી પવિત્ર જાની આણંદના બાકરોલના છે. પવિત્ર જાનીએ હરિપ્રસાદ સ્વામીના તાબા હેઠળ સન્યાસ લીધો હતો.
જમીનના દસ્તાવેજમાં પ્રેમસ્વરૂપ સ્વામીનું નામ પણ સામેલ
વડોદરાના આંસોજમાં અન્ય નામ ધારણ કરીને જમીન ખરીદી છે. તેમજ આંસોજ ઉપરાંત દશરથ, મોકસી અને સોખડા ગામમાં પણ જમીન ખરીદી છે. જમીનના દસ્તાવેજમાં પ્રેમસ્વરૂપ સ્વામીનું નામ પણ સામેલ છે. શિક્ષાપત્રીથી વિપરીત ત્યાગ વલ્લભ સ્વામીએ પોતાના નામે જમીન કરાવી છે. શિક્ષાપત્રી મુજબ કોઈ સંત પોતાના નામે જમીન-મિલકત ન ખરીદી શકે. ભરૂચના ઝઘડિયામાં પણ ત્યાગ વલ્લભે પોતાના નામે જમીન કરાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime