બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અમદાવાદ / Western Disturbance will bring down the temperature there will be no rain for the next seven days
Kishor
Last Updated: 01:03 AM, 27 October 2023
અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શહેરમાં ભેજ ખેંચાવાની સાથે વાદળોનું પ્રમાણ પણ વધ્યું છે, જેના લીધે અમદાવાદમાં ગરમી અને બફારાના પ્રમાણમાં ઘટાડો થયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના લઘુતમ તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં હજુ પણ એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.
તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ-સાત દિવસમાં વરસાદ વરસવાની કોઇ સંભાવના નથી. તાપમાનમાં પણ કોઇ મોટો ફેરફાર થાય એવું લાગતું નથી. આગામી બે દિવસમાં તાપમાન એકાદ ડિગ્રી સુધી નીચે આવી શકે છે. રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.
૨૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે
તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં સરેરાશ ૩૬-૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે, બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધીને ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન એક ડિગ્રી વધીને ૨૧.૧ ડિગ્રી નોંધાયું હતું. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ ટ્રાન્ઝિશન મહિનો હોવાથી તાપમાન યથાવત્ રહેશે. બપોરે ગરમી અને વહેલી સવારે તથા મોડી રાતે ઠંડકનો અનુભવ થશે. દિવસે ૩૬ ડિગ્રી, જ્યારે રાતે ૨૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.
ઉલ્લેખનીય છે કે, આવા વાતાવરણમાં હાલ અમદાવાદમાં રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં મેલેરિયાના ૪૭, ઝેરી મેલેરિયાના નવ ઉપરાંત ચિકનગુનિયાના સાત કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગ એવા ઝાડા-ઊલટીના ૨૩૩ કેસ, કમળાના ૧૦૧ તેમજ ટાઈફોઈડના ૨૭૪ કેસ તથા કોલેરાના સાત કેસ નોંધાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime