બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / uttarakhand-corona-update-uttarakhand-kumbh-haridwar-many-positive-cases

રોગચાળો / કુંભ નગરી હરિદ્વારને કોરોનાનું 'ગ્રહણ', દર સવા મિનિટે નોંધાઈ રહ્યો છે એક કોવિડ કેસ

Nirav

Last Updated: 06:54 PM, 24 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની આ બેકાબૂ રફતારની વચ્ચે પણ વૈષ્ણવ વૈરાગી અખાડા અંતિમ કુંભ સ્નાન માટે શાહી ઠાઠબાઠ સાથે હરકી પૌડીમાં જવાની તૈયારીમાં છે.

  • કોરોનાના કેસ સતત વધી રહ્યા છે 
  • મોટા ભાગના અખાડાઓએ કુંભ સમાપનની ઘોષણા કરી છે 
  • હરીદાર અને ઋષિકેશમાં સ્થિતિ ચિંતાજનક  

 હરિદ્વારમાં કોરોનાએ કુંભમેળાની મજા મારી નાખી છે, અહીં હજુ પણ સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં હરિદ્વાર ઋષિકેશ જેવા સ્થળોએથી 1175 નવા કેસ મળી આવ્યા છે. 
નિરંજની અખાડાના મહામંડલેશ્વરના દિલ્હીમાં નિધન પછી હરિદ્વારમાં પણ ચાર લોકોના મોત નીપજયાં છે, હાલમાં અહીં લોકોમાં એ હદની અફરાતફરી છે કે લોકો મૂંઝાઈ રહ્યા છે કે આખરે ક્યાં જઈને તેઓ સરાવાર કરાવે કારણકે આ વિસ્તારની હોસ્પિટલોમાં બેડ ભરાઈ ગયા છે. 

હરિદ્વારમાં કોરોના બેકાબૂ 

હાલમાં વૈષ્ણવ વૈરાગી અખાડા આ માહોલમાં પણ અંતિમ સ્નાન માટે હર કી પૌડી જવાની તૈયારીમાં છે અને આ દિવસે બંગાળમાં સાતમા ચરણનું મતદાન પણ યોજાવાનું છે, મોટા ભાગના શૈવ અખાડાઓએ કુંભના સમાપનની ઘોષણા કરી દીધી છે, શૈવના દસ અખાડાઓ, બે ઉદાસીન અખાડા અને શીખ સાધુઓના નિર્મલ અખાડાએ ત્રણ શાહી સ્નાન કરી લીધા છે, જો કે 14 એપ્રિલે થયેલા ત્રીજા શાહી સ્નાન પછી કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો નોંધાયો છે, જે હજુ પણ કાબૂમાં નથી આવી રહ્યો. 

દર સવા મિનિટે એક કેસ 

છેલ્લા 24 કલાકમાં આ આખા વિસ્તારમાંથી  1175 નવા કેસ મળી આવ્યા છે, જેને જો ધ્યાને લેવામાં આવે તો કહી શકાય કે દર સવા મિનિટે અહીં એક કોરોના કેસ મળી રહ્યો છે, સાથે જ અહીની આરોગ્ય સેવાઓનું માળખું પણ દબાણ અને તાણ હેઠળ છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત થયા છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ