બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Usury complaint against Bharuch Aam Aadmi Party leader

ભરૂચ / AAP નેતા સામે વ્યાજખોરીની ફરિયાદ,10 ટકા વ્યાજે આપતો હતો રૂપિયા, તોય ભૂખ ન સંતોષાતા આવું કરતો

Kishor

Last Updated: 03:39 PM, 3 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચ આમ આદમી પાર્ટીના નેતા મનહર પરમારે કોન્ટ્રાકટરને વ્યાજે રૂપિયા આપી બાદમાં રકમ વસુલી લીધા પછી પણ ઘર પચાવી પાડયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

  • ભરૂચ આમ આદમી પાર્ટીના નેતા સામે વ્યાજખોરીની ફરિયાદ
  • 10 લાખના રૂપિયા 12 લાખ આપ્યા છતા ઉઘરાણી રાખી હતી ચાલુ
  • વ્યાજ બાકી હોવાનું કહી ધાક ધમકી આપતા હોવાથી AAP નેતા વિરૂદ્ધ ફરિયાદ

ભરૂચ સહિત રાજ્યભરમાં ચાલતી વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશને લઈને નિતનવી ફરિયાદો સામે આવી રહી છે આવી સ્થિતિ વચ્ચે ભરૂચમાં વધુ એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર મનહર પરમાર  સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ભરુચ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

AAP નેતાએ કોન્ટ્રાક્ટરને 10 ટકા વ્યાજે આપ્યા હતા 10 લાખ રૂપિયા

આ અંગે પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર કોન્ટ્રાકટરે 10 ટકા જેવા તોતિંગ વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. બાદમાં રૂ.12.40 લાખ ચૂકવી દીધા હતા. છતાં પણ ધનલાલચુ વ્યાજખૌરે રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી.વ્યાજ બાકી હોવાનું કહી ધાકધમકી પણ આપી હતી. આથી આ મામલે કંટાળી ગયેલા કોન્ટ્રાકટરે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં આરોપીએ મકાન પણ પચાવી લીધુ હોવાનો ઉલ્લેખ કરાયો છે આથી ભરૂચમાં મનહર પટેલ સામે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

વ્યાજખોરો વિરુદ્ધ અવારનવાર ઉઠતી ફરિયાદ 

ઉલ્લેખનિય છે કે ભરૂચમા વ્યાજખોરો જાણે લૂંટારું બન્યા હોય તેમ અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ગત તામ 27 ના રોજ વ્યાજખોરો 4 યુવક પર છરી વડે હુમલો કર્યો હતો તો તા. 26ના રોજ ભરૂચમાં જ વ્યાજખોરના આતંકથી મેહુલ શાહ નામના યુવાને આપઘાતનો પ્રાયસ કરી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ