બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Kishor
Last Updated: 04:44 PM, 26 March 2023
ઉમેશપાલ હત્યા કેસમાં બાહુબલી અતિક અહેમદ અને તેનો ભાઈ અશરફને દોષિત જાહેર કરાયા છે. જેમાં આરોપી અતિક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલીની જેલમાં બંધ છે. ત્યારે સાબરમતી જેલમાં બંધ બાહુબલી નેતા અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ રવિવારે ગુજરાત આવી હતી. ત્યારે એન્કાઉન્ટર થવાના ડરથી તેમનું વાહન પલટી જવાની ચર્ચા જાગી રહી છે. આ મામલે સપાના વડા અખિલેશ યાદવનું સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કટાક્ષ સાથે જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓને કહ્યું હશે કે વાહન પલટી જશે. એટલે તો તેમના મંત્રીઓ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.
યુપીના પ્રયાગરાજ લઈ જવાની તૈયારી
સપા પ્રમુખ અખિલેશ યાદવે અતિક અહેમદના મુદ્દે નિવેદન આપતા વધુમાં યાદવે કહ્યું હતું કે વાહન પલટી જવાનો આ રેકોર્ડ હંમેશા એક રેકોર્ડ જ રહેશે. તે ક્યાંય નહીં જાય! જ્યારે રેકોર્ડ માંગશો ત્યારે તે મળશે. મહત્વનું છે કે ગેંગસ્ટર અતીક અહેમદ ઉમેશ પાલ મર્ડર કેસમાં હાલમાં સાબરમતી જેલમાં બંધ છે. જેની પૂછપરછ બાદ યુપીના પ્રયાગરાજ લઈ જવાની તૈયારી છે. જેમાં લગભગ 36 કલાક જેટલો સમય લાગી શકે છે.
અતિકે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
ઉમેશપાલ હત્યાકાંડ મામલે અતિક અહેમદે પોતાની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. અતિક અહેમદે સુપ્રીમમાં અરજી કરીને કહ્યું હતું કે, 'યુપીમાં દાખલ કેસની સુનાવણી માટે તેને ગુજરાતથી બહાર ન લઈ જવામાં આવે, તેના જીવને જોખમ છે.' અહેમદના વકીલ હનીફ ખાને સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી હતી. તેમાં અમદાવાદ જેલથી યુપીની જેલમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, યુપી સરકારના કેટલાક મંત્રીઓના નિવેદનથી એવું લાગે છે કે તેનું ફેક એન્કાઉન્ટર થઈ શકે છે.
અતિકને 6 ગાડીઓના કાફલા સાથે બાય રોડ UP લઈ જવાશે. જોકે, ગેંગસ્ટર અતિક સાબરમતી જેલમાંથી બહાર નીકળવા માંગતો નથી, તેને પોલીસ એન્કાઉન્ટરનો ભય સતાવી રહ્યો હોવાથી આનાકાની કરી રહ્યો છે. કોર્ટના આદેશ બાદ પણ અતિક ઉત્તરપ્રદેશ જવા માટે આનાકાની કરી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો