બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Vishal Khamar
Last Updated: 03:03 PM, 14 January 2024
અમદાવાદમાં દોડતી હજારો રીક્ષાઓ અમદાવાદીઓ માટે પરિવહનનું ખુબ જ મહત્વનું સાધન છે. જો કે બીજી બાજુ રીક્ષાની સંખ્યા વધતાં રસ્તાઓ પણ અવ્યવસ્થા સાથે ચાલકોની ગેરવર્તણુકને લઇને લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રીક્ષાચાલકો પોલીસની હાજરીમાં બેરોકટોક બન્યા છે.
અમદાવાદના મુખ્ય વિસ્તાર ગણતા SG હાઇવે, એસટી બસસ્ટેન્ડ, સારંગપુર સહિતના વિસ્તારોમાં વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ઘરવામાં આવ્યું હતું. જેમાં રીક્ષાચાલકો મોટાપાયે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં રીક્ષાચાલકો માટે કોઇ પણ જંક્શનથી 50 મીટર દૂર ઉભા રહી શકે છે તેવો નિયમ છે. જો કે અમદાવાદમાં રીક્ષાચાલકો નિયમોની ઐસીતૈસી કરી જંક્શન પર ઉભા રહી ભીડ સર્જે છે. તો બીજી બાજુ શટલ રિક્ષા ચલાવવાનો કોઇ નિયમ ન હોવા છતાં જોખમી રીતે મુસાફરો ભરવામાં આવે છે. રીક્ષામાં ફક્ત 3 મુસાફરોને સવારી કરાવવાના નિયમનો છડેચોક ભંગ થઇ રહ્યો છે. VTVની તપાસમાં રીક્ષાચાલકો બેફામ રીક્ષા ચલાવતા અને BRTS રૂટમાં પણ રીક્ષા ચલાવતા જોવા મળ્યા હતા.
10 હજાર જેટલી રીક્ષાઓ જ એસોસિયેશનમાં જોડાયેલી છે
આ બાબતે ટ્રાફિક એફ ડિવિઝન એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, જે નિયમો છે તે રીક્ષા ચાલકો માટે પણ બનાવવામાં આવ્યા છે. રીક્ષા ચાલકો એક રોજી તરીકે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક વ્યવસાય તરીકે રીક્ષાનો ઉપયોગ કરતા હોય છે. અમદાવાદમાં લગભગ 2 લાખ 25 હજાર જેટલી રીક્ષાઓ રજીસ્ટર્ડ થયેલી છે. 10 હજાર જેટલી રીક્ષાઓ જ એસોસિયેશનમાં જોડાયેલી છે. રીક્ષા ચાલકો જ્યારે રીક્ષાનો પેસેન્જર વ્હીકલ તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યારે એએમસી દ્વારા એમને રીક્ષાની જે પરમિટ આપવામાં આવે છે. તેમાં બધા જ નિયમે સ્પેશીફાય કરેલા હોય છે.
વધુ વાંચોઃ VIDEO: ગૃહમંત્રી શાહે વેજલપુરમાં ઉજવી ઉત્તરાયણ: યુવતીઓએ કહ્યું અમે મસ્તીમાં તેમનો પતંગ કાપી નાંખ્યો
રીક્ષા ચાલકો માટે શું છે નિયમ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime