બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Hiralal
Last Updated: 03:09 PM, 13 June 2023
ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે બાળક માતાના પેટમાં હોય છે, ત્યારે તેને ગર્ભ નાળમાંથી આખા 9 મહિના સુધી ઓક્સિજન અને પોષણ મળે છે. માતા જે પણ ખાય છે, તેનું પોષણ ગર્ભનાળ દ્વારા બાળક સુધી પહોંચે છે. વિજ્ઞાનની ભાષામાં નાળને પ્લેસેન્ટા અથવા નાળ કહેવામાં આવે છે. તેનો એક છેડો ગર્ભાશય સાથે જોડાયેલો હોય છે, જ્યારે બીજો બાળકની નાભિ સાથે જોડાયેલો હોય છે. ડિલિવરી બાદ માતાના શરીરમાંથી નાળ નીકળી જાય છે, જ્યારે બાળકની નાભિ સાથે જોડાયેલો ભાગ થોડા દિવસો બાદ સુકાઈ જાય છે. આ વાતની બધાને ખબર છે પરંતુ શું તમે જાણો છો કે જે રીતે માતાના ગર્ભની અંદર રહેલી નાળ બાળકને પૌષ્ટિક વસ્તુઓ પહોંચાડે છે અને ઝેરી વસ્તુઓને તેના સુધી પહોંચતા રોકે છે, તેવી જ રીતે ભવિષ્યમાં પણ તે તેને અનેક બીમારીઓથી બચાવી શકે છે.
શું છે પ્લેસેન્ટા બેંકિંગ?
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો જન્મ પછી બાળકની નાળના કોષોને બચાવી લેવામાં આવે તો તે પછીના જીવનમાં ઘણા જીવલેણ રોગોથી બચવામાં મદદ કરી શકે છે. આજકાલ બાળકની ગર્ભનાળના કોષોને બચાવવામાં આવી રહ્યા છે. આને સ્ટેપ સેલ પ્રિઝર્વેશન અથવા પ્લેસેન્ટા બેંકિંગ કહેવામાં આવે છે.
80થી વધુ બીમારીઓની સારવાર કરવા સક્ષમ
હોવર્ડ હેલ્થના જણાવ્યા અનુસાર, નાળની અંદરનું લોહી હેમેટોપોઇએટિક સ્ટેમ સેલ્સથી ભરપૂર હોય છે. સાથે જ સ્ટેમ સેલ 80થી વધુ રોગોની સારવાર માટે સક્ષમ છે. જેમાં કેન્સર, બ્લડ ડિસઓર્ડર, ઈમ્યુન ડિસઓર્ડર અને જેનેટિક બીમારીઓનો સમાવેશ થાય છે. નાળને હાથમાં રાખવાથી બાળકના આનુવંશિક રોગો અથવા કોઈપણ તબીબી કેસ ઇતિહાસને સમજવામાં મદદ મળી શકે છે અને આ રીતે તેમની સાથે સંકળાયેલા દરેક રોગની સચોટ સારવાર કરવામાં મદદ મળી શકે છે. એટલું જ નહીં નાળની મદદથી બાળક તેમજ આવનારી પેઢીઓને ફાયદો થઇ શકે છે. જો પરિવારમાં આનુવંશિક સમસ્યા હોય જે બાળકમાં પણ થઈ શકે છે, તો તે કોર્ડ બ્લડથી ઠીક થઈ શકે છે.
ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાય
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નાળને સાચવી રાખ્યા બાદ તેનો ઉપયોગ આજીવન કરી શકાય છે. મેડિકલ સ્ટડીમાં સામે આવ્યું છે કે 23 વર્ષ સુધી સચવાયેલા રહ્યા બાદ પણ સ્ટેમ સેલ્સ હેલ્ધી રહી શકે છે અને ઘણા રોગોની સારવારમાં બાળકને મદદ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો