બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Malay
Last Updated: 04:17 PM, 24 December 2022
રાજકોટમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્કૃતિ અમૃત મહોત્સવમાં હાજરી આપીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક શહેરના ઢેબર રોડ પર આવેલા એસ.ટી ડેપોની મુલાકાતે પહોંચ્યા હતાં. અહીં તેમણે પહેલા એસ.ટી બસપોર્ટની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ મુસાફરો સાથે વાતચીત કરી હતી. તેમજ ટોઇલેટ બ્લોક અને પાણી વ્યવસ્થાની સહિત વેઇટિંગ રૂમની ચકાસણી કરી હતી.
કેન્ટીનમાં ચાની ચુસ્કી પણ લગાવી
એસ.ટી બસપોર્ટની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ બસ સ્ટેશનની કેન્ટીનમાં ચાની ચુસ્કી પણ લગાવી હતી. સાથે નવી એસટી બસોને હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી હતી.
તમામ વ્યવસ્થાથી લોકો સંતુષ્ટઃ હર્ષ સંઘવી
આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે મોડલ બસસ્ટેશન બનાવવામાં આવ્યું છે, અહીંયા ઇન્ટરનેશનલ લેવલની ફેસેલિટી વિભાગ દ્વારા બનાવી લોકોની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકો તમામ વ્યવસ્થાથી સંતુષ્ટ જોવા મળ્યા. એસટી બસમાં સફાઈ અને ક્વોલિટી છે, તેનાથી લોકો ખુશ છે.
"વ્યાજખોરો સામે ભરાશે કડક પગલા"
વ્યાજખોરીના દૂષણ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતભરમાં કોઈ પણ જગ્યાએ વ્યાજખોરીનું દૂષણ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક પણ વ્યક્તિના વ્યાજખોરોના ત્રાસથી જીવ ગુમાવવાની વાત તો દૂર, જરાય હેરાન ન થાય તે માટે હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે. કોઈ પણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime