બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / This four and a half hundred year old temple of Mahadev in Khadiya Ahmedabad is a symbol of the faith of devotees
સાડા ચારસો વર્ષ પહેલાં પેશ્વાઓએ હાટકેશ મહાદેવનુ મંદિર બંધાવ્યુ હતું.આ મંદિરની એક ખાસિયત એ છે કે તે સામાન્ય મંદિર કરતાં થોડુ ઉંચાઇ પર છે.કારણ કે જે તે સમયે પેશ્વાઓ હાથી પર જ નગર યાત્રા કરતા.. અને જ્યારે તે નીકળતા તો સવારના સમયે સૌ પહેલાં પ્રભુના દર્શન કરતા હતા.અને મહાદેવના દર્શન વગર અન્ન લેતા નહીં એટલે તેઓ ઠેર ઠેર મંદિરો બંધાવતા. ખાસ વાત એ છે કે તેઓ દર્શન માટે હાથી પર આવતા હોવાથી દરેક મંદિરને ઉંચાઇ પર બાંધાવતા. પેશ્વાઓએ હાટકેશ મહાદેવનુ મંદિર નાગરોને ભેટમાં આપ્યુ હતું.
ADVERTISEMENT
મહાદેવએ પોતાના નિવાસના મુખ્ય આઠ ક્ષેત્રો દર્શાવ્યા છે, જેમાં કેદાર, કાશી, કુરૂક્ષેત્ર, પુષ્કર, પ્રભાસપાટણ, કુરુજાંગલ્ય, નેમિષારણ્ય અને હાટકેશ. એટલે નાગર જ્ઞાતિનાં લોકો હોય, ત્યાં હાટકેશ્વર મંદિર અવશ્ય જોવા મળે છે... મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન હોય છે જ્યારે બીજી તરફ હનુમાન દાદા બિરાજમાન હોય છે.. અને હાટકેશ્વર મંદિરમાં પ્રભુના શિવલિંગની આસપાસ જે પ્રભુની મુર્તિ હોય છે તેમાં એક તરફ ગણેશ ગજાનંદ હોય છે અને બીજી તરફ શિવ પરિવાર બિરાજમાન હોય છે જ્યારે હનુમાન દાદાની મૂર્તિ મંદિરની બહારની તરફ હોય છે.. વારે તહેવારે મંદિરે અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે તેમાં સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવે છે અને દેશના નામી સંગીતકારો વિના મુલ્યે લોકોને સંગીત પીરસીને પોતે પણ મહાદેવની ભક્તિ કર્યાનો અહેસાસ કરે છે.
ADVERTISEMENT
મંદિરનુ નિર્માણ થયુ હતુ તે કાળમાં મંદિરને બનવામાં 24 વર્ષનો સમય લાગયો હતો.. મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી ખાસ પત્થર મંગાવવામાં આવ્યા હતા. તે સમયે ગાડાઓ ભરીને પત્થર મંગાવવામાં આવ્યા હતા. મંદિરમાં હનુમાનનું મંદિર છે તેમાં પ્રભુને એ રીતે દર્શાવવામાં આવ્યાં છે જે સિતા માતાને મુદ્રા આપવા લંકા ગયા હતા.. આ હનુમાનદાદાને લંકેશ કહેવામાં આવે છે.. આવી પ્રભુ હનુમાનજી આપને ભાગ્યેજ ક્યાંક જોવા મળશે
ADVERTISEMENT
શહેરીજનો વર્ષોથી હાટકેશ મહાદેવના દર્શને નિયમિત આવે છે તો યુવાપેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે....
ADVERTISEMENT
અહીં નાગરોના ઇષ્ટ દેવ હાટકેશ્વર દાદાની જન્મ જયંતી નિમિતે દર વર્ષે લઘુ રુદ્ર અને હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવે છે. અને ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે..આ પરંપરા 400 વર્ષથી અવિરત ચાલે છે.. મંદિર હેરિટેજમાં આવે છે... અને આ મંદિરનું રિનોવેશન પણ હેરિટેજ દ્વારા કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.