બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / There will be retrenchment in this well known company living
Kishor
Last Updated: 06:49 PM, 19 February 2023
અમેરિકાના એક મીડિયાના રીપોર્ટસની વાત કરીએ તો અમેરિકાની ટેક કંપની ફેસબુકે કંપનીમાં કામ કરનારા તમામ કર્મચારીઓની કામગીરીનું તાજેતરમાં મુલ્યાંકન કરવામાં આવ્યું હતુ. આ મુલ્યાંકન સમયે કંપનીના સાત હજાર કર્મીઓનું પરફોમન્સ ખરાબ હોવાનું રેટિંગ મળ્યુ છે. મહત્વનું છે કે આ કર્મીઓને સબપાર રેન્ક આપવામાં આવ્યો છે. જેનો સીધો મતલબ એ થાય છે કે, આ કર્મીની કામગીરી ખરાબ હોવાની જાણવા મળી છે. તમને જણાવી દઈએ કે નીચા રેટિંગનો અર્થ એ થાય છે કે કર્મચારીઓને મેટા એટલે કે ફેસબુકમાંથી છૂટા કરવામાં આવશે. ત્યારે આ સ્થિતિને જોતા એવુ લાગી રહ્યુ છે કે ફેસબુકમાંથી ફરી એકવાર છટણી થવાની હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
પહેલા ૧૧૦૦૦ કર્મચારીઓને કાઢી મુક્યા હતા
કંપનીની વાત કરીએ તો તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુકની માલિકી ધરાવી રહી છે. આ કંપનીએ આ પહેલા પણ ૧૧૦૦૦ કર્મચારીઓને ગુલાબી રંગની સ્લીપ આપીને કાઢી મુક્યા હતા. અને ફરી એકવાર ખરાબ રેટિંગ ધરાવનારા સાત હજાર કર્મચારીને કાઢી નાખવાની એટલે કે છટણી કરવાની શક્યતા સેવાઈ રહી છે. આમ કામ કરનારા કર્મીઓનું નબળી કામગીરીનું મુલ્યાંકન મળતા એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ જાયન્ટ કંપની ફરી એકવાર કર્મચારીને છૂટા કરવાનુ વિચારી રહી છે.
પ્રથમ છટણી ક્યારે થઈ હતી?
કંપની દ્વારા ઈતિહાસમાં પ્રથમ વખત છટણી કરવામાં આવી હતી. તેની વાત કરીએ તો નવેમ્બર ૨૦૨૨માં કરવામાં આવી હતી. જેમાં ૧૩ ટકા કર્મચારીને એક સાથે છૂટા કરી દેવામાં આવ્યા હતા. કર્મચારીના સંખ્યાની વાત કરીએ તો અંદાજીત ૧૧૦૦૦ લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી. આ ફેસબુક કંપનીના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો