બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Dinesh
Last Updated: 09:21 AM, 11 September 2023
Stambheshwar Mahadev Temple : શ્રાવણ મહિનામાં શિવ મંદિરોની મુલાકાત લેવી, મુખ્ય તીર્થસ્થાનો પર જવું ખૂબ જ ફળદાયી છે. તેથી, શ્રાવણ મહિનામાં દેશના મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. આમાંના ઘણા મંદિરો પ્રાચીન છે અને તેમની સાથે જોડાયેલા રહસ્યોને કારણે દુનિયાભરમાંથી લોકો તેમની મુલાકાત લેવા આવે છે. ગુજરાતના વડોદરામાં આવું જ એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જે દરરોજ અદૃશ્ય થઈ જાય છે અને ફરી દેખાય છે. આ ઘટનાને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.
સમુદ્રમાં સ્થિત છે આ શિવ મંદિર
ભગવાન શિવનું આ પ્રસિદ્ધ મંદિર, સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમુદ્રમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવી હતી. દરિયાની અંદર હાજર આ મંદિર દિવસમાં બે વાર પાણીમાં ડૂબી જાય છે અને પછી ફરી દેખાવા લાગે છે. વાસ્તવમાં, આ સમુદ્રમાં પાણીનું સ્તર દરરોજ એટલું વધે છે કે મંદિર આખુ ડૂબી જાય છે અને પછી જ્યારે પાણીનું સ્તર ઘટે છે ત્યારે મંદિર ફરીથી દેખાવા લાગે છે. આ ઘટના દરરોજ સવારે અને સાંજે બને છે.
સમુદ્ર કરે છે શિવજીનો અભિષેક
શિવ મંદિર દરિયામાં ડૂબી જવાની અને ફરીથી પ્રગટ થવાની આ ઘટનાને ભક્તો દ્વારા સમુદ્ર દ્વારા શિવનો અભિષેક કરવાનું કહેવામાં આવે છે. જ્યારે સમુદ્રનું સ્તર વધવા લાગે છે ત્યારે મંદિરમાં ભક્તોનો પ્રવેશ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે.
સ્કંદ પુરાણ અને શિવ પુરાણની રુદ્ર સંહિતામાં સ્તંભેશ્વર મંદિર વિશે કહેવામાં આવ્યું છે કે રાક્ષસ તારકાસુરે કઠોર તપસ્યા કરીને શિવ પાસેથી એવું વરદાન લીધું હતું કે માત્ર શિવના પુત્ર જ તેને મારી શકે છે. ત્યાર બાદ તારકાસુરના ઉત્પાતથી લોકોને મુક્તિ અપાવવા માટે ફક્ત 6 દિવસના કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. ત્યાર બાદ જે સ્થાન પર રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો ત્યાં શિવ મંદિર બનાવવામાં આવ્યું. જણાવી દઈએ કે આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પૂર્વ થઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime