બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / The ticket price of Adipurush is low a big decision of the makers
Kishor
Last Updated: 11:54 PM, 21 June 2023
આદિપુરુષ ફિલ્મ જ્યારથી રિલીઝ થઇ છે ત્યાંરથી નિતનવા વિરોધ જન્માવી રહી છે. લોકો આ ફિલ્મનો આકરો વિરોધ કરીને તેના પ્રસારણ પણ રોક લગાવી દેવા માંગ ઉઠાવી રહ્યા છે. આ વિવાદ શમવાનું નામ લેતો નથી. પહેલા ડાયલોગ્સને લઈને વિરોધનો સુર ઊઠ્યાં બાદ પાત્રોના ગેટઅપ અને વિભીષણની પત્નીના બોલ્ડ સીન પર પ્રતિબંધ મૂકવાની દર્શકો માંગ ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવે ફિલ્મ મામલે નવું અપડેટ સામે આવ્યું છે. નિર્માતાઓએ મોટો નિર્ણય લઈ ફિલ્મની ટિકિટની કિંમતમાં બે દિવસ પૂરતો ઘટાડો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઓછા ભાવે આદિપુરુષ જોઈ શકશે
રામાયણને અધીન આ ફિલ્મને તમામ લોકો પરિવાર સાથે નિહાળે તે માટે નિર્માતાઓએ પરિવારને એકસાથે થિયેટરોમાં લાવવા માટે મોટુ પગલું ભર્યું છે. હવે ફિલ્મનું નિર્માણ કરનારાએ ફિલ્મની ટિકિટનો દર ઘટાડીને 150 રૂપિયા કરી દીધો છે. જેને લઈને ગ્રૂપમાં ફિલ્મ જોવા જતા લોકો ઓછા ભાવે આદિપુરુષ" જોઈ શકશે. નોંધનિય છે કે વિરોધ વચ્ચે પણ લોકો આ ફિલ્મને ખૂબ આવકારી રહ્યા છે પરિણામે 'આદિપુરુષ'એ માત્ર પાંચ દિવસમાં 395 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ઉરી ચશ્મા માટે વધારાના ચાર્જનો ડામ યથાવત
હવે ફિલ્મના ડાયલોગ્સમાં પણ બદલાવ કરી નાખવામાં આવ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નિર્માતાઓએ આગામી બે દિવસ એટલે કે 22 અને 23 જૂને ફિલ્મની ભાવ ધટાડો લાગુ કર્યો છે. તેમાં પણ તમે 3Dમાં ફિલ્મ જોઈ રહ્યા છો તો તમારે થિયેટરમાં ઉરી ચશ્મા માટે વધારાના ચાર્જનો ડામ યથાવત રાખ્યો છે. ફિલ્મનું નિર્દેશન કરનાર ઓમ રાઉત દ્વારા 'આદિપુરુષ' બનાવવામાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રથમ બે દિવસ કમાણી પણ સારી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime