બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The resolution of the package for crop damage due to unseasonal rains was announced

સહાય / કમોસમી વરસાદથી પાક નુકસાની માટેના પેકેજનો ઠરાવ જાહેર, આ રહ્યું 13 જિલ્લાના 48 તાલુકાઓનું લિસ્ટ

Malay

Last Updated: 10:46 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Packages for crop damage: કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના પેકેજનો સરકારે ઠરાવ કર્યો છે. સહાય મેળવવા ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને ઓફલાઈન અરજી કરવાની રહેશે.

  • સરકારે નુકસાનીના પેકેજનો ઠરાવ કર્યો
  • ખેડૂતો સહાય માટે કરવી પડશે અરજી
  • સરકારે 13 જિલ્લાના 48 તાલુકાના નામ જાહેર કર્યા

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ચોતરફ કૃષિપાકને ભારે નુકસાન થયું છે. અગાઉનાં માવઠાથી ખેડૂતોનાં દર્દ વચ્ચે વધુ એકવાર કમોસમી વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાજ્યમાં કમોસમી વરસાદે ખેતરમાં તૈયાર પાકને મોટાપાયે નુકસાન કર્યુ છે. આ સાથે અનેક જિલ્લામાં સતત વરસેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે કહેર સાબિત થયો છે. મહામહેનતે ખેડૂતોએ તૈયાર કરેલા પાક પર કમોસમી વરસાદે પાણી પાણી ફેરવી દીધું છે. ત્યારે રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદથી નુકસાનીના પેકેજનો સરકારે ઠરાવ કર્યો છે. 

ગુજરાતના ખેડૂતો માટે ગુડ ન્યુઝ: સરકાર કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગેની  સહાય કરશે જાહેર, જાણો ક્યારે | Government to announce relief for damage  caused by unseasonal rains

ખેડૂતોએ કરવી પડશે ઓફલાઇન અરજી
ઠરાવ મુજબ, ખેડૂતોએ સહાય મેળવવા ઓફલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને આ અરજી કરવાની રહેશે. સરકારે 13 જિલ્લાના 48 તાલુકાના નામ જાહેર કર્યા છે. સરકારે રાજકોટ જિલ્લામાં માત્ર જસદણ તાલુકાનો પેકેજમાં સમાવેશ કર્યો છે. તો જૂનાગઢમાં વિસાવદર તાલુકાનો પેકેજમાં સમાવેશ કરાયો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાનો પેકેજમાં સમાવેશ કરાયો છે. કચ્છ અને અમરેલીના 9-9 તાલુકાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તાપી, સુરત, જામનગર, અમદાવાદના 2-2 તાલુકાનો સમાવેશ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાની અંગેની સહાય જાહેર
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી.

આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

ગુજરાતના ખેડૂતોને મોટી રાહત, સરકારે માવઠાંથી થયેલ પાક નુકશાનીની સહાય જાહેર  કરી, જાણો કેટલા મળશે | In a big relief to the farmers of Gujarat, the  government announced aid for ...

બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ મળશે સહાય
મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.9500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.23000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.18,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.4000 કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.4000ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ