બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / અજબ ગજબ / The identity of this village is its 'son-in-law', you will be shocked to know the story!
Megha
Last Updated: 06:55 PM, 21 August 2022
ADVERTISEMENT
ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેનો ઇતિહાસ જાણીને તમે પણ અચંબિત થઈ જશો. એવા જ ભારતના ઘણા ગામડાઓના ઇતિહાસને કારણે આજે પણ તેઓ આખા દેશમાં ચર્ચિત છે. આજે અમે તમને એક એવા જ ગામડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે એવા ગામડા વિશે સાંભળ્યું જ હશે જ્યાં ફક્ત જુડવા બાળકો જ જન્મ લે છે. પણ ભારતમાં એક એવું પણ ગામડું છે જ્યાં 40 થી પણ વધુ જમાઈના ઘર છે અને તેને કારણે જ એ ગામડાને દામાદનપુરવા નામે ઓળખાય છે.
ADVERTISEMENT
70 માંથી 40 ઘર જમાઈના
કાનપુરમાં આવેલ એ ગામડામાં લગભગ 500 લોકો રહે છે. આ ગામડું અકબરપૂર ક્ષેત્રમાં આવેલ છે અને ત્યાં લગભગ 70 ઘર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ 70 ઘરોમાંથી 40 થી વધુ ઘર જમાઈના છે. ત્યાં રહેતા વૃદ્ધો અનુસાર 1970માં ગામડાંની રાજરાણીના લગ્ન થયા પછી તેમના પતિ સાંવરે કાંઠેરીયા તેના સાસરામાં આવીને રહેવા લાગ્યા હતા.
શું છે ઇતિહાસ
જો કે સાંવરે કાંઠેરીયાને રહેવા માટે જગ્યા ઓછી પડતી હતી એટલા માટે ગામડા પાસે જમીન આપવામાં આવી હતી. રાજરાણીના પતિ પછી ઘણા છોકરાઓએ ગામની દીકરી સાથે લગ્ન કર્યા અને પહેલા જમાઈ બન્યા અને પછી ત્યાં જ જમીન લઈને રહેવા લાગ્યા હતા. ત્યાંથી જ આ પરંપરા વધવા લાગી અને વર્ષ 2005 સુધીમાં એ ગામડામાં 40 ઘર ત્યાંના જમાઈના બની ગયા હતા. તમને જણાવી દઈએ કે સૌથી ઉંમરલાયક જમાઈ 78 વર્ષનો છે.
આજે પણ ચાલે છે પરંપરા
તમને જાણીને નવાઈ લાગશે પણ આજ સુધી આ રિવાજ ચાલે છે. તેનો મતલબ એ છે કે ત્રીજી પેઢી સુધીના જમાઈ આ ગામડામાં આવીને વસે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT