બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Telangana MLA Oath Ceremony T Raja Singh Opposes Akbaruddin Owaisi As Protem Speaker
ADVERTISEMENT
તેલંગાણાની નવી કોંગ્રેસ સરકારે AIMIM ના નેતા અકબરૂદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. જે બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુસ્સેથી લાલચોળ થઈ ગયા અને શપથ ગ્રહણનો બૉયકોટ કરવાનું એલાન કર્યું છે.
શું છે સમગ્ર વિવાદ
તેલંગાણાની વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર શપથ અપાવશે. જે બાદ ટી રાજા સિંહે કહ્યું કે કોંગ્રેસ હવે ખૂલીને સામે આવી ગઈ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને નવા મુખ્યમંત્રી રેડ્ડીનો ચહેરો સામે આવી ગયો છે. રેડ્ડી પહેલા કહેતા હતા કે ઓવૈસી અને ભાજપ સાથે છે, હવે દેખાઈ રહ્યું છે કે કોણ કોની સાથે છે.
ADVERTISEMENT
રાજા સિંહે વધુમાં કહ્યું હતું કે 2018માં પણ MIM ના જ એક ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ મેં શાપથ લીધા હતા નહીં. હું રેડ્ડીને પૂછવા માંગુ છું કે BRS એ તો પોતાની સરકારનું સ્ટિયરિંગ MIMના હાથમાં સોંપી દીધું હતું, તે જ કામ તમે પણ કરી રહ્યા છો.
રાજા સિંહે એલાન કર્યું કે, આ રાજા સિંહ જીવે છે ત્યાં સુધી AIMIM ની સામે શપથ નહીં લે.
ADVERTISEMENT
આ પ્રોટેમ સ્પીકરની જવાબદારી છે શું?
નોંધનીય છે કે જ્યારે પણ ચૂંટણી થાય તે પછી ચૂંટાઈને આવેલા તમામ ધારાસભ્યોને શપથ અપાવવા માટે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવામાં આવે છે. સામાન્યપણે આખી ધારાસભામાં જે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય હોય તેને જ પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. આટલું જ નહીં નવા સ્પીકરની ચૂંટણી કરાવવાનું કામ પણ પ્રોટેમ સ્પીકર દ્વારા જ કરવામાં આવે છે. જ્યાં સુધી વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી ન થઈ જાય ત્યાં સુધી અધ્યક્ષ એટલે કે સ્પીકરની તમામ જવાબદારી પ્રોટેમ સ્પીકર જ નિભાવે છે.
જોકે માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો બૉયકોટ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.