બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ભારત / Politics / Telangana MLA Oath Ceremony T Raja Singh Opposes Akbaruddin Owaisi As Protem Speaker
Parth
Last Updated: 11:07 AM, 9 December 2023
તેલંગાણાની નવી કોંગ્રેસ સરકારે AIMIM ના નેતા અકબરૂદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. જે બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુસ્સેથી લાલચોળ થઈ ગયા અને શપથ ગ્રહણનો બૉયકોટ કરવાનું એલાન કર્યું છે.
શું છે સમગ્ર વિવાદ
તેલંગાણાની વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર શપથ અપાવશે. જે બાદ ટી રાજા સિંહે કહ્યું કે કોંગ્રેસ હવે ખૂલીને સામે આવી ગઈ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને નવા મુખ્યમંત્રી રેડ્ડીનો ચહેરો સામે આવી ગયો છે. રેડ્ડી પહેલા કહેતા હતા કે ઓવૈસી અને ભાજપ સાથે છે, હવે દેખાઈ રહ્યું છે કે કોણ કોની સાથે છે.
રાજા સિંહે વધુમાં કહ્યું હતું કે 2018માં પણ MIM ના જ એક ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ મેં શાપથ લીધા હતા નહીં. હું રેડ્ડીને પૂછવા માંગુ છું કે BRS એ તો પોતાની સરકારનું સ્ટિયરિંગ MIMના હાથમાં સોંપી દીધું હતું, તે જ કામ તમે પણ કરી રહ્યા છો.
રાજા સિંહે એલાન કર્યું કે, આ રાજા સિંહ જીવે છે ત્યાં સુધી AIMIM ની સામે શપથ નહીં લે.
આ પ્રોટેમ સ્પીકરની જવાબદારી છે શું?
નોંધનીય છે કે જ્યારે પણ ચૂંટણી થાય તે પછી ચૂંટાઈને આવેલા તમામ ધારાસભ્યોને શપથ અપાવવા માટે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવામાં આવે છે. સામાન્યપણે આખી ધારાસભામાં જે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય હોય તેને જ પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. આટલું જ નહીં નવા સ્પીકરની ચૂંટણી કરાવવાનું કામ પણ પ્રોટેમ સ્પીકર દ્વારા જ કરવામાં આવે છે. જ્યાં સુધી વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી ન થઈ જાય ત્યાં સુધી અધ્યક્ષ એટલે કે સ્પીકરની તમામ જવાબદારી પ્રોટેમ સ્પીકર જ નિભાવે છે.
જોકે માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો બૉયકોટ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો