બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Malay
Last Updated: 12:40 PM, 14 October 2023
Surat News: છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક છે, ત્યારે બહારગામથી ઓર્ડરો નીકળતા વેપારની નવી આશા જાગી છે. હમણાં સુધી મંદીનો સામનો કરી રહેલા સુરત ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી પ્રતિદિવસ માંડ માંડ 50થી 60 જેટલી ટ્રક માલ ભરી અન્ય રાજ્યમાં જતી હતી, જે ટ્રકોની સંખ્યા વધીને 240થી 250 પર પહોચી છે. જેના પગલે દિવાળી સુધીમાં સુરત ટેક્સટાઇલ્સ માર્કેટને અંદાજીત આઠથી દસ હજાર કરોડનો વેપાર મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
તહેવારો નજીક આવતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી
દિવાળી નજીક આવતા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રકોની ડિમાન્ડમાં વધારો થયો છે. આ અંગે સુરત ટેક્સટાઇલ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું કે, સુરત એક ટેક્સ્ટાઇલ હબ છે. જેમાં એશિયાની મોટામાં મોટી ટેક્સટાઇલ મંડી આવેલી છે. રક્ષાબંધનના પર્વ પર સુરતથી દરરોજ અંદાજીત 180 જેટલી ટ્રકો કાપડ અને સાડીના પાર્સલો લઈ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ દિવાળીનો તહેવાર નજીક છે અને ગઈકાલથી સુરતથી અલગ અલગ રાજ્યોમાં અંદાજીત 235 જેટલી ટ્રકમાં પાર્સલો મોકલવામાં આવ્યા છે.
ટ્રકોની વર્તાવા લાગી અછતઃ યુવરાજ દેસલ
તેઓએ જણાવ્યું કે, દિવાળીની સાથે સાથે આગામી દિવસોમાં નવરાત્રી, દુર્ગા પૂજા, લગ્નસરા અને બિહારમાં મુખ્ય છઠ પૂજાનો તહેવાર આવી રહ્યો છે. જેના કારણે સુરતથી દરરોજ 300 જેટલી ટ્રકો અન્ય રાજ્યોમાં જશે. આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી સહિતના તહેવારોને પગલે માર્કેટ અને ટ્રાન્સપોર્ટ ગોડાઉન બહાર પણ પાર્સલોના ખડકલા થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ગોડાઉનનો દ્વારા પણ હાલ બુકિંગ લેવામાં આવી રહ્યું છે. પાર્સલોના ખડકલાના કારણે ટ્રકોની પણ હાલ અછત વર્તાવા લાગી છે. પરંતુ તેમ છતાં બુકિંગ બંધ કરવામાં આવ્યું નથી. જોકે, તહેવારોને લઈ ટ્રાન્સપોર્ટ સંચાલકોને વધુ ડિસ્પેચિંગ મળવાનો આશાવાદ છે અને ટ્રકોની સંખ્યા પ્રતિદિવસ 300ને પાર કરી જાય તેવી શક્યતા છે.
અચાનક વધી તેજી
સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના મહામંત્રી દિનેશ કટારીયાએ કહ્યું કે, સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી 150થી વધુ ટેક્સટાઇલ માર્કેટોને આ વખતે પણ દિવાળી ફળે તેવી શક્યતા રહેલી છે. કારણ કે અલગ અલગ રાજ્યમાંથી કાપડની ડિમાન્ડ નીકળતા માર્કેટમાં પણ પાર્સલોના ખડકલા જોવા મળી રહ્યા છે. જે પાર્સલોનું ડિસ્પેચિંગ ઝડપથી થાય તેવા પ્રયત્ન ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીની માર સહન કરતો આવ્યો છે, પરંતુ દિવાળી સહિતના તહેવારો નજીક આવતા સારા વેપારની આશા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime