બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Stone pelting at Radhakrishna temple in Vaghpara Morbi early today

ઉગ્ર રોષ / મોરબીના વાઘપરામાં મંદિર પર પથ્થરમારો: આરતી સમયે પૂજારી સહિત પત્નીને મોહસીને ધમકી આપ્યાનો આરોપ

Malay

Last Updated: 09:52 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News: મોરબીના વાઘપરામાં આવેલા રાધાકૃષ્ણ મંદિરે આજે વહેલી સવારે પથ્થરમારો, મોહસીન નામના શખ્સે અપશબ્દો બોલી લોકોને સળગાવી નાખવાની આપી ધમકી

  • વાઘપરામાં મંદિરમાં પથ્થરમારો કરી ધમકી અપાઇ
  • મોહસીન નામના શખ્સે  આરતી સમયે કર્યો પથ્થરમારો 
  • મંદિરનો દરવાજો બંધ કરતા પથ્થરમારો કર્યો 

Morbi News: મોરબી શહેરમાં મંદિર પર પથ્થરમારાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે આરતી સમયે એક શખ્સ દ્વારા મંદિર પર પથ્થરમારો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. 

મંદિર પર કર્યો પથ્થરમારો
મળતી માહિતી અનુસાર, મોરબીના વાઘપરામાં આવેલા રાધાકૃષ્ણ મંદિરે આજે વહેલી સવારે આરતીના સમયે મોહસીન નામનો શખ્સ પહોચ્યો હતો અને મંદિરના પૂજારી સાથે બબાલ કરીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જે બાદ તેણે ઉશ્કેરાઈને મંદિરના પૂજારી અને તેમના પત્ની પર પણ પથ્થરમારો કર્યો હતો. પૂજારીના પત્નીએ મંદિરનો દરવાજો બંધ કરતાં તેણે મંદિરના દરવાજા પર પણ પથ્થરમારો કર્યો હતો.

લોકોને આપી ધમકી 
આ સાથે જ મોહસીને અપશબ્દો બોલીને મંદિરે આવતા લોકોને સળગાવી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. તો આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.  

ઠાસરામાં શિવજીની સવારી પર થયો હતો પથ્થરમારો
આપને જણાવી દઈએ કે, ગયા મહિને ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.  શિવજીની શોભાયાત્રમાં થયેલ પથ્થર મારા બાદ ગામમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ  બંને પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી, પોલીસે 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. તો ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ