બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Dinesh
Last Updated: 05:18 PM, 27 February 2023
વિધાનસભા સત્રમાં રાજ્ય સરકારના કર્મીઓને સાતમાં પગારનો સંપૂર્ણ લાભ મળ્યો નથી જેને લઈ ગૃહમાં પ્રશ્ન ઉછળ્યો હતો. સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશ્ન કર્યો હતો જે મુદ્દે રાજ્ય સરકારે સાતમાં પગારનો સંપૂર્ણ લાભ ન મળ્યો હોવાનું પણ સ્વીકાર્યું છે.
સાતમાં પગાર પંચના અન્ય લાભ બાબતે પ્રક્રિયા ચાલી રહી છે: સરકાર
વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે ત્યારે વિવિધ પ્રશ્નોને લઈ ગૃહમાં માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશ્નો કર્યો હતો કે, સરકારી કર્મચારીઓને સાતમાં પગાર પંચનો સંપૂર્ણ લાભ મળ્યો નથી. જેને લઈ સરકારે પણ સ્વીકાર્યું હતું. સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશ્ન કર્યો હતો કે, 29 સપ્ટેમ્બરના ઠરાવને આધારે ઘરભાડાનું ભથ્થું અપવામાં આવે છે અને પરિવહન ભથ્થું તેમજ સ્થાનિક વળતર ભથ્થું 12 ઓક્ટોબરના ઠરાવથી અપાય છે. ત્યારે સરકારે જવાબમાં કહ્યું કે, સાતમાં પગાર પંચના અન્ય લાભ બાબતે પ્રક્રિયા ચાલી રહી છે.
'ખેરા ગામમાં દરિયાઈ પાણીથી નુકસાન થાય'
દરિયાઈ પાણીથી થતા નુકસાન મામલે હીરા સોલંકીએ સત્રમાં પ્રશ્ન કર્યો હતો. રાજુલા વિધાનસભાના ખેરા ગામમાં દરિયાઈ પાણીથી નુકસાન થાય છે. ભાજપ ધારાસભ્ય હીરા સોલંકીના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યુ હતું. દરિયાઈ પાણીને ખેરા ગામમાં આવતું અટકાવા દિવાલ બની રહી છે. તેમજ દિવાલ માટે વર્ષે 2019માં 580.73 લાખની વહીવટી મંજૂરી અપાઈ છે. વર્ષે 2020માં 811.99 લાખની તાંત્રિક મંજૂરી આપવામાં આવી તેમ સરકારે જણાવ્યું હતું. હાલ દિવાલ નિર્માણનું કામ 10 ટકા જેટલુ પૂર્ણ થયું છે. આગામી ચોમાસા પહેલા કામગીરી પૂરું કરવાનું વિભાગનું આયોજન છે તેમ સરકારે જણાવ્યું હતું
અર્જુન મોઢવાડીયાનો પશ્ન
વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પશ્ન કર્યો હતો. GST વળતર તરીકે કેન્દ્ર પાસેથી 9,136 કરોડ લેવાના બાકી છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો. વર્ષ 2021માં 23,323 કરોડની રકમ કેન્દ્ર પાસેથી લેવાના બાકી છે. વર્ષ 2022માં 7,068 કરોડ છેલ્લા 2 વર્ષના લેવાના બાકી તેમજ રાજ્ય સરકારને 31મેએ 3364 કરોડ અને 24 નવેમ્બરે 855 કરોડ કેન્દ્ર પાસેથી મળ્યા છે. વળતર પેટે ન મળેલી રકમ સામે રાજ્ય સરકારે લોન લીધી છે જેમાં રાજ્ય સરકારે 17,045.13 કરોડની કેન્દ્ર પાસેથી લોન લીધી છે
નલ સે જલ યોજનાનો મુદ્દો
વિધાનસભામાં નલ સે જલ યોજનાનો મુદ્દો ઉઠ્યો હતો. ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પ્રશ્ન પૂછ્યો હતો. સરકારે જવાબ આપ્યો હતો. મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં નલ સે જલ યોજનામાં મંજૂરી નહીં મળે. વિંછીયા તાલુકામાં નલ સે જલ યોજનાની એકપણ યોજના મંજૂર નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ