બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ભારત / Politics / Split in INDIA alliance before meeting! Uddhav Sena called Congress arrogant, JDU says make Nitish PM candidate
Megha
Last Updated: 11:05 AM, 19 December 2023
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજવવાની છે પરંતુ આ પહેલા વિપક્ષી એકતામાં ડખો થયો હોય એવું લાગી રહ્યું છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ બેઠક પહેલા કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેને અંહકારી ગણાવી હતી તો બીજી તરફ બેઠક પહેલા બિહારમાં સત્તા પર રહેલ JDUએ નવી માંગ કરતાં કહ્યું કે નીતિશ કુમારને PM કેન્ડીડેટ જાહેર કરી દેવા જોઇએ.
INDIA ગઠબંધનની બેઠક: JDUએ ઉઠાવી માંગ, નીતિશ કુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવો, તો જ થશે લાભ#India #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 19, 2023
નીતિશ કુમારને PM કેન્ડીડેટ જાહેર કરો
વાત એમ છે કે જનતા દળ યુનાઈટેડ એટલે કે JDUના ધારાસભ્ય ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ. જો આમ કરવામાં આવશે તો જ ફાયદો થશે. આ માંગણી પાછળનું કારણ જણાવતાં ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે નીતીશ કુમાર ભારત ગઠબંધનમાં સ્વચ્છ છબી ધરાવતા એકમાત્ર નેતા છે. તેમની છબી પ્રામાણિકતાની છે.
ઉદ્ધવ જૂથે કોંગ્રેસને અહંકારી ગણાવી
બીજી તરફ ઉદ્ધવ જૂથે તેના મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કરતાં કોંગ્રેસને અહંકારી ગણાવી છે. સાથે જ એમ પણ કહ્યું છે કે, 'હવે ઈન્ડિયા એલાયન્સને સારથિની જરૂર છે. અત્યારે ઈન્ડિયા એલાયન્સનો રથ કોઈ સારથિ વગરનો છે. કોંગ્રેસને સલાહ આપતા લખ્યું હતું કે કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટીને સમર્થન આપે. ઈન્ડિયા એલાયન્સમાં 28 પક્ષોનું જોડાણ છે, પરંતુ 100 રસોઈયા ખરાબ ભોજન પીરસે છે. આજની બેઠકમાં ઈન્ડિયા એલાયન્સનો ચહેરો સ્પષ્ટ થવો જોઈએ.
જણાવી દઈએ કે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીના નેતાઓ આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને અન્ય નેતાઓ દિલ્હીમાં છે અને તેઓ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime