બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Bijal Vyas
Last Updated: 11:08 PM, 21 April 2023
Sita Navami 2023 Date:હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની નવમી તિથિના રોજ સીતા નવમી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા સીતાનો જન્મ આ દિવસે થયો હતો, તેથી આ દિવસને સીતા જયંતિ અથવા જાનકી નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ દિવસે માતા સીતાની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ કે, વર્ષ 2023 માં સીતા નવમી કયા દિવસે ઉજવવામાં આવશે, શુભ સમય અને મહત્વ?
સીતા નવમી 2023 તિથિ
હિંદુ પંચાગ અનુસાર, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ 28 એપ્રિલ, 2023 ના રોજ સાંજે 04:01 વાગ્યે શરૂ થશે અને 29 એપ્રિલના રોજ સાંજે 06:22 વાગ્યે સમાપ્ત થશે. સીતા નવમી ઉત્સવ 29 એપ્રિલ 2023, શનિવારે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર આ દિવસે રવિ યોગ બની રહ્યો છે, જે બપોરે 12:47 થી બીજા દિવસે સવારે 05:42 સુધી રહેશે.
સીતા નવમીનું મહત્વ
ધાર્મિક માન્યતા છે કે માતા સીતા માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી, આ ખાસ દિવસે માતા સીતાની પૂજા કરવાથી માતા લક્ષ્મી પોતે પ્રસન્ન થાય છે અને સાધકને તમામ પ્રકારની ખુશીઓ આપે છે. માનવામાં આવે છે કે, સીતા નવમીના દિવસે પૂજા કરવાથી વ્યક્તિને રોગો, દોષો અને પારિવારિક ક્લેશથી મુક્તિ મળે છે.
સીતા નવમી પૂજા વિધિ
સીતા નવમીના દિવસે માતા સીતાને શૃંગારની તમામ સામગ્રી અર્પણ કરવામાં આવે છે. આ સાથે પુષ્પ, ધૂપ, દીવો અને મિઠાઈ વગેરેથી વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસે તલના તેલ અથવા ગાયના ઘીનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. માતા સીતાને લાલ ફૂલ ખૂબ જ પ્રિય છે. એટલા માટે આ દિવસે તેમને લાલ કે પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી માતા સીતા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર