બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અમદાવાદ / અમદાવાદમાં ક્ષત્રિયોએ બતાવી તાકાત: ભાજપ વિરોધી નારા સાથે નીકળી જંગી રેલી

ક્ષત્રિય આંદોલન / અમદાવાદમાં ક્ષત્રિયોએ બતાવી તાકાત: ભાજપ વિરોધી નારા સાથે નીકળી જંગી રેલી

Last Updated: 06:35 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂપાલાની ટિકિટ રદ નહી કરાતા નારાજ ક્ષત્રિયોનો ભાજપ સામે મોરચો

લોકસભા ચૂંટણીને મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજની ભાજપ પ્રત્યેની નારાજગી હજુ પણ જોવા મળી રહી છે. ક્ષત્રિયોની અસ્મિતાની લડાઇને લઇ ભાજપને પણ ફાડ પેઠી છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 37 દિવસથી ઠેરઠેર ક્ષત્રિયો ભાજપ સામે મોરચો માંડીને બેઠા છે. આજે અમદાવાદના નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર વિસ્તારમાં ફરી હતી અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી. ક્ષત્રિયોના ધર્મરથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ નારી અસ્મિતાની લડાઇ સાથે નિકળેલી યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.

ભાજપ દ્વારા રાજારજવાડા પર બહેન દિકરીને લઇને કરાયેલા અભદ્ર ટિપ્પણી બાદ ગુજરાતમાં નહી સમગ્ર દેશમાં ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહી ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહી કરતા રાજપૂતો વધુ ભળક્યા છે. અને ભાજપ વિરુદ્ધ મતદાનની ખુલ્લેઆમ જાહેરાત કરી ભાજપનો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 37 દિવસથી ગુજરાતમાં ક્ષત્રિયોના સંમેલનો અને યાત્રા ચાલી રહી છે. ત્યારે આજે સવારે અમદાવાદના નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ વિશ્લેષણ / ...તો એટલે ગુજરાતમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાની ટિકિટ રદ ન કરાઇ! જાણો ઇનસાઇડ સ્ટોરી

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે. સવારે અમદાવાદના નરોડા જય માતાજી ચોક શરૂ થયેલી આ યાત્રા નરોડા ગામ ખાતે પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ઝંડા સાથે બાઈકો અને ગાડીઓના કાફલામાં નીકળેલી આ યાત્રા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી હતી.નારી અસ્મિતાની લડાઈ માટે ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીઓ પણ હવે રસ્તા પર ઉતરી છે. હાથમાં તલવાર લઈને તલવાર રાસ વડે સમાજની દીકરીઓએ તેમની શક્તિ બતાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ