બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ship of Salaya port of Dwarka burnt down near Oman
Khyati
Last Updated: 04:28 PM, 5 June 2022
એક તરફ ગરમી તો બીજી તરફ આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે કાળઝાળ ગરમીમાં દરિયા વચ્ચો વચ જહાજમ ભડકે બળ્યું. ત્યારે દેવભૂમિ દ્વારાકા જિલ્લાના સલાયા બંદરના જહાંજમાં આગ લાગી. ઓમાન પાસે સલાયાના જહાજમાં આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. જોઇ શકાય છે કે 10 માળની બિલ્ડીંગ જેટલા ઊંચા ધૂમાડા જોવા મળ્યા હતા. ચોમેર પાણી વચ્ચે સલાયાનુ જહાજ આગની ચપેટમાં આવતા બળીને ખાખ થઇ ગયું.
1200 ટનનું જહાંજ આગની ચપેટમાં
સલાયાના અલ ખીનજ નામના જહાંજમાં આગ લાગી હતી. સલીમ ભાયાની માલિકીનું જહાજ મધ દરિયે બળીને ખાખ થઇ ગયું. 1200 ટનના જહાજમાં આગ લાગતા જહાજ માલિકને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નથી પરંતુ જહાંજમાં સવાર તમામ ખલાસીઓને અન્ય બોટ મારફતે રેસક્યુ કરાયા છે.
સલાયા બંદરથી પોરબંદર જતુ જહાંજ ડૂબ્યુ હતું
તો થોડા દિવસ અગાઉ 27મેના રોજ દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું જહાંજ દરિયામાં ડૂબ્યુ હોવાનું સામે આવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. ગોષે જીલાની નામનું જહાજ સલાયા બંદરથી પોરબંદર માટે રવાના થયું હતું. ઘટનાની જાણ થતા જ કોસ્ટગાર્ડની ટીમ મદદે આવી પહોંચી હતી અને ડૂબતા જહાજમાંથી ક્રૂ સહીતના 6 લોકોને બચાવી લીધા હતા. આ ડૂબેલા જહાજનું વજન 400 ટન હતુ જો કે આ જહાજ શા કારણથી ડૂબ્યું એનું હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો