બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 04:24 PM, 2 July 2023
એક બાજુ 2024 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે વિપક્ષો એક થવાની તૈયારી દર્શાવી આ દિશામાં મથામણ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં અજીત પાવરએ પાડેલા ખેલને લઇને વિપક્ષી એકતાને આંચકો લાગ્યો છે.એનસીપીના દિગ્ગજ નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર 18 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા છે. અજિત પવાર શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યાં છે. જેની પાછળનું કારણ એવું છે કે એનસીપીના ઘણાં નેતાઓ ભાજપ અને શિવસેના ગઠબંધન સરકારને સમર્થન આપવા માંગતા હતા. પરંતુ શરદ પવારની મંજૂરી વિના આ કાર્ય અશક્ય હતું. વધુમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એનસીપીના નેતાઓ કોઈ પણ કાળે એવું નથી ઇચ્છતા કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા કે લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના દાવેદાર બને. આથી એનસીપીમાં સર્જાયેલ ભંગાણનું કારણ આ પણ હોઈ શકે છે.
#MaharashtraPolitics | NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/F58i9WvtJ0
— ANI (@ANI) July 2, 2023
વિપક્ષી એકતાની કવાયતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું
નોંધનીય છે કે છેલ્લા એકાદ વર્ષથી એનસીપીમાં ખારખેદ અને આંતરિક ટાંટિયાખેંચ વધુ જોવા મળતી હતી. ખુલ્લેઆમ નહીં પરંતુ શરદ પવારથી અંદરખાને અજીત પવાર અનેક વખત પાર્ટી લાઈનથી અલગ નિવેદન આપતા દેખાયા હતા. ઘણી વખત તો ભાજપને સમર્થન આપવાની વાત પણ કરી હતી. બીજો બાજુ ઇડી, સીબીઆઇ સહિતની એજન્સીની નોટિસ બાદ પાર્ટીના અન્ય નેતાઓનો પણ સુર બદલ્યો હતો અને ભાજપ ગઠબંધન સરકારને સમર્થન આપવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે થોડા દિવસ અગાઉ શરદ પવારે સન્યાસ લેવાની જાહેરાત કરી સમગ્ર પ્રકરણ ટાઢું પાડવા માટે કવાયત કરી હતી. પરંતુ તેમાં પણ તેની કોશિશ ઉલટી પડી અને હવે વિપક્ષી એકતાની કવાયતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
#MaharashtraPolitics | An oath ceremony is to be held shortly at Raj Bhavan, Mumbai as several NCP leaders including Ajit Pawar are set to extend support to the ruling Maharashtra govt. pic.twitter.com/XPBLu0QXI8
— ANI (@ANI) July 2, 2023
એટલે ભાજપની સમર્થન આપવાની તૈયારી દર્શાવી દીધી
તાજેતરમાં જ પટનામાં યોજાયેલી વિપક્ષે પાર્ટીઓની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીને દુલ્હા બની જવા મામલે નિવેદન આપ્યું હતું. લાલુ યાદવના આ નિવેદનને અનેક લોકોએ રાજકીય અર્થ કાઢ્યો હતો અને એવું માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષે દળોની એકતા બાદ તેનું નેતૃત્વ રાહુલ ગાંધીને કરવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ હિસાબે તેઓ આગામી લોકસભામાં વિપક્ષનો ચહેરો અને વડાપ્રધાન દાવેદાર બની શકે તેમ હોવાથી અમુક નેતાઓમાં વિરોધ હતો. સૂત્રોનું માન્ય તો એનસીપીના ઘણાં નેતાઓ એવા છે જે લોકસભાની ચૂંટણી કોંગ્રેસની સાથે રહીને લડવા માંગતા નથી. આવી સ્થિતિમાં અજીત પવારનો સંકેત મળતાની સાથે જ તેઓએ ભાજપની સમર્થન આપવાની તૈયારી દર્શાવી દીધી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ