બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Saragva is the best to increase body strength in winter
Last Updated: 05:14 PM, 26 January 2024
ADVERTISEMENT
સરગવાનું સેવન હંમેશા તાકાત વધારવા અને વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. તે સૌથી શક્તિશાળી ખોરાકમાંથી એક છે અને શિયાળાની ઋતુમાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડ્રમસ્ટિક અથવા સરગવો દેશના તમામ ભાગોમાં સરળતાથી મળી આવે છે અને દરેક ઋતુમાં તેનું સેવન કરી શકાય છે. શિયાળામાં તાપમાનમાં ઘટાડો અને ઠંડી વધવાથી તમે સ્વસ્થ રહેવા માટે સરગવાનું સેવન કરી શકો છો. સરગવામાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે. તેમાં મિનરલ્સ, વિટામિન A, વિટામિન C અને વિટામિન B જેવા પોષક તત્વો હોય છે. આ બધાની સાથે કેલ્શિયમ, આયર્ન, ઝિંક, પોટેશિયમ અને ફોસ્ફરસ પણ મળી આવે છે. સરગવામાં 18 વિવિધ પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. જે શરીરને મજબૂત બનાવે છે અને નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: હાથની પકડ પડી જાય નબળી, તો ચેતજો! ડાયાબિટીઝથી લઈને સ્ટ્રોક અને કિડનીમાં સમસ્યાનો ખતરો
સરગવાના પાવડરના સેવનની રીત
સરગવાના પાનનો રસોડામાં શાકભાજીની જેમ ઉપયોગ કરી શકાય છે. સરગવાના પાનનો ઉપયોગ સાગ, પરાઠા અને ચટણીમાં કરી શકાય છે. આ સિવાય સૂકા સરગવાના પાનનો પાવડર પણ પી શકાય છે. સરગવાનો પાઉડર બનાવવા માટે તેના પાનને તડકામાં સૂકવીને તેમાંથી પાઉડર બનાવીને ડબ્બામાં રાખો. ત્યાર બાદ આ પાવડરનું રોજ સેવન કરો. એક વાસણમાં એક કપ પાણી ઉકળવા રાખો. પછી તેમાં 2 ચમચી સરગવાના પાનનો પાવડર નાખો. તેને 5-8 મિનિટ સુધી પકાવો. હવે ગેસ બંધ કરો અને આ મિશ્રણમાં સ્વાદ મુજબ થોડું મીઠું અને મધ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને ગાળી લો અને તરત જ પી લો.
ADVERTISEMENT

શિયાળામાં સરગવો ખાવાથી શું ફાયદો થાય છે
ADVERTISEMENT
થાક નથી લાગતો
સરગવાની ચા પીવાથી થાક નથી લાગતો અને શરીરનાં દુ:ખાવામાંથી રાહત મળે છે. શિયાળામાં સવારમાં લાગતી સુસ્તી ઓછી થાય છે.
વજન ઘટે
સરગવાના સેવનથી વજન નિયંત્રિત રહે છે. નિયમિત રીતે સરગવાના સેવનથી વજન ઘટાડવામાં સરળતા રહે છે.
ADVERTISEMENT

પાચન શક્તિ વધારે
શિયાળામાં પેટને લગતી સમસ્યાઓ વધી જાય છે. આ સમયે સરગવાનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે. તેનાથી કબજિયાત, પેટનું ફૂલવું અને પેટની અન્ય સમસ્યાઓ ઓછી થાય છે
ADVERTISEMENT
રોગપ્રતિકારક શક્તિ વધારે
સરગવાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. જે લોહીમાં એકઠી થયેલી અશુદ્ધિઓને દૂર કરે છે અને રક્ત શુદ્ધિકરણનું કામ કરે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે મોસમી રોગોથી સુરક્ષિત રહો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.