બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Priyakant
Last Updated: 02:16 PM, 31 December 2023
Uttarayan 2024 : ઉત્તરાયણ શબ્દ આવે એટલે અમદાવાદની જ ઉત્તરાયણ યાદ આવે છે. એમાં ખાસ કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી પોળો. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત ભરમાંથી લોકો અહીંયા ઉત્તરાયણ કરવા આવે છે. મહત્વનું છે કે, બોલીવુડના કલાકારો સહિતના લોકો પણ અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે સ્પેશ્યલ આવતા હોય છે ત્યારે પોળમાં વસતા લોકો પણ પોતાની અગાસી એક દિવસ માટે ભાડે આપીને સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.
નવેમ્બર મહિનામાં જ શરૂ થઈ જાય છે બુકિંગ
VTV ન્યૂઝની ટીમે લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ઉત્તરાયણની ઉજવણી માટે નવેમ્બર મહિનાથી જ બુકિંગ શરૂ કરી દેવામાં આવતું હોય છે જ્યારે ઘણા લોકો ઓગસ્ટ માંથી પણ ઇન્કવાયરી શરૂ કરી દે છે. શરૂઆતમાં 25,000થી ભાડું લેવામાં આવે છે પરંતુ જેમ જેમ ઉત્તરાયણ નજીક આવે છે ત્યારે તેનું ભાડું પણ વધારો થાય છે એટલે કહી શકાય કે 25 હજારથી 1 લાખ સુધીનું ભાડું હોય છે. જેમાં પણ અમુક પ્રકારના પેકેજ કરવામાં આવે છે.
જાણો શું-શું હોય છે ઉત્તરાયણના એ ખાસ પેકેજમાં ?
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પરિવારમાંથી કેટલા લોકો આ પેકેજનો લાભ લે છે. અને પેકેજના વધારે તેમની સુવિધા નક્કી કરવામાં આવે છે. જેમાં સવારે ચા ,નાસ્તો બપોરે ઊંધિયું, પૂરી, જલેબીનું ભોજન બપોરે ભોજન અને રાત્રે પણ ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત તલની અને સિંગની ચીકી લાડુ ધાબા ઉપર ડીજે સેટ, માઈક અને બેસવા માટેની ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે ઘણી જગ્યાએ ભોજન વિનાના પેકેજ પણ આપવામાં આવે છે.
ઉત્તરાયણથી થાય છે રોજગારનું સર્જન
ઉત્તરાયણ દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છે. અનેક જગ્યાએ જમવા સાથેના પેકેજ આપવામાં આવે છે. જેમાં પતંગ ચગાવનારને અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે અને તેમાં પણ ફુલ ડે અને હાફ ડે પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ધાબા ભાડે આપવાનું ચલણ વધુ હોવાથી બોર્ડમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો