બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / ravi shastri told Virat Leave the captaincy

સ્પોર્ટ્સ / ખુલી ગઇ કોહલીની સૌથી મોટી પોલ : આ વ્યક્તિએ વિરાટને કહ્યું ' કૅપ્ટનશીપ છોડી દે અને...'

Kinjari

Last Updated: 12:20 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના બેસ્ટ પ્લેયરમાં સામેલ વિરાટ કોહલીએ એક અઠવાડીયાની અંદર 2 ટીમની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. આવું શા માટે કર્યુ તેના પરથી પરદો ઉઠી ગયો છે.

  • કોહલીએ કોના કહેવા પર છોડી કપ્તાની
  • વિરાટની ખુલી ગઇ પોલ
  • બેટિંગ પર ધ્યાન આપશે વિરાટ કોહલી 

કોહલીને લઇને ખુલાસો

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટો ખુલાસો થયો છે.  તેણે હાલમાં જ ટી 20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. આવું તે શા માટે કરી રહ્યો છે તેના પરથી પરદો ઉઠી ગયો છે. કોહલીના ખરાબ પફોર્મન્સના કારણે લોકોની ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે. 

 

 

કોણે કપ્તાની છોડવા કહ્યું

એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને કપ્તાની છોડવા માટે કહ્યું. રવિ શાસ્ત્રીએ વિરાટને કપ્તાની છોડી બેટિંગ પર ધ્યાન આપવા માટે કહ્યું હતું. આ સલાહ એટલા માટે આપવામાં આવી હતી કે વિરાટ દુનિયાનો ટોપ બેટ્સમેન બન્યો રહે. 

2023 પહેલા કપ્તાની છોડવાની હતી ચર્ચા 

BCCIના એક અધિકારીએ કહ્યું, કોહલીની કપ્તાની વિશે વાત ત્યારે શરૂ થઇ જ્યારે ભારતે પોતાના નિયમિત કેપ્ટન વગર ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી. આ સંકેત આપે છે કે કોહલીને 2023 પહેલા કોઇ પણ સમયે વન ડે કપ્તાની છોડવી પડી શકે છે. 

 

 

શાસ્ત્રીએ કોહલી સાથે કરી વાત

રવિ શાસ્ત્રીએ કોહલી સાથે લગભગ 6 મહિના પહેલા વાત કરી હતી પરંતુ તેણે કોચની વાત નહોતી માની. તે હજી પણ વન ડે મેચમાં નેતૃત્વ કરવા માગે છે એટલે જ તેણે ટી20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. 

કોહલી કેપ્ટન તરીકે આઉટ

ક્રિકેટમાં કોઈ હલચલ થાય તો ભારતમાં છાની ન રહે કારણ કે ક્રિકેટ સાથે દરેક ભારતીયોનો અતૂટ નાતો છે. ક્રિકેટના કોઈપણ સમાચાર હોય તો ભારતમાં તેના દિવાનાઓની કમી નથી. વાત એમ છે કે વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દેવાની જાહેરાત કરી છે. આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ વિરાટ છોડી દેશે. આપણા દેશમાં ક્રિકેટને એક ધર્મની જેમ માનવામાં આવે છે અને ક્રિકેટરને ભગવાન માનવામાં આવે છે. ત્યારે ક્રિકેટના કોઈપણ સમાચાર હોય તો ભારતમાં તેના દિવાનાઓની કમી નથી ખબર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એ એલાન કર્યું છે કે તેઓ આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલીએ આ અંગે ખાસ એક ચિઠ્ઠી લખીને આખી દુનિયાને જણાવ્યું છે કે વર્કલોડ વધુ હોવાને કારણે તે હવે T-20 ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ નહીં કરે અને પોતાની બેટિંગ પર વધુ ધ્યાન આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ