બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Rajkot's notorious Kamlesh Ramani forcibly grabbed land, PSI grabbed 50 lakh
Mehul
Last Updated: 11:36 PM, 21 February 2022
રાજકોટ પોલીસ કમિશનર કચેરી છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. પરંતુ આ વખતે જે ઘટના બની છે, તેના કારણે આખા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો રાજકોટ પોલીસ કમિશનર પર લાગેલા આરોપ મામલે હજુ તો તપાસ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો નથી, ત્યારે વધુ એક વ્યક્તિએ ક્રાઈમ બ્રાન્ચ પર વસૂલીના આરોપ લગાવીને કમિશનરની ઓફિસ પર જ ફિનાઈલ પીવાનો પ્રયાસ કર્યો.
રાજકોટ પોલીસ કમિશનરની કચેરી લોકો ન્યાયની અપેક્ષા સાથે આવતાં પણ હવે આ ઓફિસ આક્રોશ ઠાવવવાનું કેન્દ્ર બની ગઈ છે. અને આક્રોશ પણ કોની સામે?. જેમના પર નાગરિકોની સુરક્ષાની જવાબદારી છે તેમની જ સામે. પોલીસની ગરિમાને લજવે તેવા આરોપનું એપી સેન્ટર બનેલી રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ આ હોબાળા સાથે જ વધુ એક વસૂલીકાંડનો પણ ખુલાસો થયો. વિજય સોલંકી નામના આ શખ્સનો આરોપ છે કે રાજકોટના બિલ્ડર કમલેશ રામાણી સહિત પાંચ લોકો જમીન ખાલી કરાવવા દબાણ કરી રહ્યા છે. આ જમીન તેને વારસા રૂપે મળી છે. જેના પર કમલેશ રામાણીએ 26 માર્ચ 2021ના રોજ બળજબરીપૂર્વક સહી કરાવી લીધી.
વિજય સોલંકીના આરોપ મુજબ આ વાત માત્ર આટલેથી ન અટકી. અને ક્રાઈમબ્રાંચના પીએસઆઈ સાખરા સહિતના પોલીસ અધિકારીઓએ 50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી અને તેને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી.
રાજકોટના બિલ્ડર કમલેશ રામાણીએ આ આરોપોને તો નકાર્યા છે, પરંતુ એક બાદ એક સણસણતા આરોપોની વણઝારના કારણે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્તબ્ધ છે, આરોપોની ગંભીરતાને જોતા તમામ દિશાઓમાં નિષ્પક્ષ તપાસની તૈયારી દર્શાવી છે.
રાજકોટના સખિયા બંધુઓએ સૌપ્રથમ વસૂલીના આરોપ લગાવ્યા બાદ રાજકોટ ક્રાઈમબ્રાંચના તમામ અધિકારીઓની બદલી તો કરી દેવામાં આવી છે, બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનરની કમિશનમાં ભૂમિકા મામલે અત્યાર સુધીમાં 10 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. અને તપાસ અધિકારી વિકાસ સહાય ગમે તે સમયે રિપોર્ટ રજૂ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime