બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / rahul gandhi attacks modi government china latest map ladakh
Dinesh
Last Updated: 10:48 AM, 30 August 2023
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચીને થોડા સમય પહેલા એક નકશો જાહેર કર્યો છે. જેમાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે. જેને લઈ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. રાહુલે કહ્યું કે, હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું, વડાપ્રધાને ચીનના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે. ચીને ભારતની જમીન છીનવી લીધી છે જે મુદ્દે વડાપ્રધાને બોલવું જોઈએ.
રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન હડપી લીધી છે અને નકશાની બાબત તો ગંભીર છે કારણ કે તેમણે જમીન લીધી છે. વડાપ્રધાને આ અંગે કંઈક કહેવું જોઈએ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી થોડા દિવસો માટે લદ્દાખની મુલાકાતે ગયા હતા. ત્યાં તેણણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી મોદી સરકાર પર વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે, ચીને લદ્દાખની જમીન હડપ કરી લીધી છે અને કેન્દ્ર સરકારે કોઈ પગલાં લીધા નથી. રાહુલ ગાંધીએ સીધો પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યા છે, તેમણે પીએમ પર લદ્દાખ મુદ્દે જૂઠ્ઠું બોલવાનો આરોપ પણ લગાવ્યો છે.
ચીને એક નકશો બહાર પાડ્યો છે
તમને જણાવી દઈએ કે, ચીને હાલમાં જ પોતાનો એક મેપ જાહેર કર્યો હતો, જેમાં ભારતના અક્સાઈ ચીન, અરુણાચલ પ્રદેશને તેનો કાયમી ભાગ ગણાવ્યો છે. આ સિવાય તિબેટને પણ સંપૂર્ણપણે ચીનનો ભાગ ગણાવ્યો હતો. ચીનના આ નકશા પર ભારત સરકાર દ્વારા સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
વિદેશ મંત્રીનું નિવેદન
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ચીન પર આકરા પ્રહારો કર્યા અને આ નકશાને વાહિયાત ગણાવ્યો છે. જયશંકરે કહ્યું કે, ચીન ભૂતકાળમાં પણ આવા નકશા જારી કરતું રહ્યું છે, જેમાં તે અન્ય દેશોની જમીનને પોતાની કહે છે, આ તેની જૂની આદત છે. પરંતુ આનાથી કંઈપણ બદલાતું નથી, કારણ કે જેઓ ભારતનો ભાગ છે તેઓ હંમેશા રહેશે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમને ખબર છે કે અમારો વિસ્તાર કેટલો છે, તે પણ સાફ છે કે તેની સુરક્ષા માટે અમારે શું કરવાનું છે. માત્ર વાહિયાત દાવા કરવાથી કોઈનો પ્રદેશ નથી થઈ જતો. વિદેશ મંત્રાલયે પણ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ચીનના આવા દાવાઓ માત્ર સરહદ સંબંધિત વિવાદોને જટિલ બનાવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime