બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / r ashwin rajkot test real reason revealed bcci gave update on mother chitra health

Cricket / રાજકોટમાં ટેસ્ટ મેચ છોડીને કેમ અચાનક જ બહાર થયો અશ્વિન? BCCIએ જુઓ શું કહ્યું

Published By: Vikram Mehta

Last Updated: 11:41 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. રવિચંદ્રન અશ્વિનના મમ્મી ચિત્રાની તબિયત ખરાબ છે, જેથી તેઓ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે.

  • રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર
  • રવિચંદ્રન અશ્વિનના મમ્મીની તબિયત ખરાબ
  • BCCIએ પોસ્ટ શેર કરીને આપી જાણકારી

ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. અશ્વિનનના ઘરમાં ફેમિલી મેડિલી ઈમરજન્સી આવવાને કારણે ત્રીજા ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. BCCIએ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું છે કે, રવિચંદ્રન અશ્વિનના પરિવારમાં ફેમિલી મેડિકલ ઈમરજન્સી છે, જેથી તેઓ હવે ટેસ્ટ મેચ નહીં રમી શકે. BCCIએ આ બાબતે અપડેટ આપતા જણાવ્યું છે કે, રવિચંદ્રન અશ્વિનના મમ્મી ચિત્રાની તબિયત ખરાબ છે, જેથી તેઓ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. 

BCCIના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર જાણકારી આપી છે. રાજીવ શુક્લાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ‘અશ્વિનના માતા ઝડપથી સાજા થાય તેવી હું પ્રાર્થના કરું છું. અશ્વિને રાજકોટ ટેસ્ટ મેચ મુકીને તેની માતા પાસે જવું પડ્યું.’

BCCIએ આપી જાણકારી
BCCIએ રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, તે બાબતે અપડેટ આપી હતી. BCCIએ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતું કે, રવિચંદ્રન અશ્વિન અને તેના પરિવારને BCCIનો તથા સાથી પ્લેયર્સ અને સ્ટાફનો પૂરો સપોર્ટ છે. ખેલાડીઓ અને તેમના પરિવારની હેલ્થ સૌથી વધુ જરૂરી છે. 

BCCIએ પ્રેસ રિલીઝમાં ફેન્સને જણાવ્યું હતું કે, પ્લેયર્સ અને તેમની ફેમિલીની પ્રાઈવસી જળવાઈ રહે તેનું ધ્યાન રાખે. હાલમાં તેઓ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં અશ્વિનને તમામ સુવિધા આપવામાં આવશે. 

વધુ વાંચો: IND vs ENG: ટીમ ઇન્ડિયાને મળશે અશ્વિનનો રિપ્લેસમેન્ટ ખેલાડી? જાણો શું કહે છે ICCનો નિયમ

IND vs ENG
હાલમાં રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અશ્વિને 500 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કરી લીધો છે. ઈંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી ઈનિંગમાં બે વિકેટ પર 207 રન કર્યા હતા. ભારતે પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ 238 રનથી પાછળ છે. ભારતીય ટીમના રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે એક એક વિકેટ લીધી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

India vs England ashwin rajkot test r ashwin mother r ashwin mother health rajkot test રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટ મેચ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ