બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
Manisha Jogi
Last Updated: 11:41 AM, 17 February 2024
ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. અશ્વિનનના ઘરમાં ફેમિલી મેડિલી ઈમરજન્સી આવવાને કારણે ત્રીજા ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. BCCIએ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું છે કે, રવિચંદ્રન અશ્વિનના પરિવારમાં ફેમિલી મેડિકલ ઈમરજન્સી છે, જેથી તેઓ હવે ટેસ્ટ મેચ નહીં રમી શકે. BCCIએ આ બાબતે અપડેટ આપતા જણાવ્યું છે કે, રવિચંદ્રન અશ્વિનના મમ્મી ચિત્રાની તબિયત ખરાબ છે, જેથી તેઓ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે.
BCCIના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર જાણકારી આપી છે. રાજીવ શુક્લાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ‘અશ્વિનના માતા ઝડપથી સાજા થાય તેવી હું પ્રાર્થના કરું છું. અશ્વિને રાજકોટ ટેસ્ટ મેચ મુકીને તેની માતા પાસે જવું પડ્યું.’
Wishing speedy recovery of mother of @ashwinravi99 . He has to rush and leave Rajkot test to Chennai to be with his mother . @BCCI
— Rajeev Shukla (@ShuklaRajiv) February 16, 2024
BCCIએ આપી જાણકારી
BCCIએ રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, તે બાબતે અપડેટ આપી હતી. BCCIએ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતું કે, રવિચંદ્રન અશ્વિન અને તેના પરિવારને BCCIનો તથા સાથી પ્લેયર્સ અને સ્ટાફનો પૂરો સપોર્ટ છે. ખેલાડીઓ અને તેમના પરિવારની હેલ્થ સૌથી વધુ જરૂરી છે.
BCCIએ પ્રેસ રિલીઝમાં ફેન્સને જણાવ્યું હતું કે, પ્લેયર્સ અને તેમની ફેમિલીની પ્રાઈવસી જળવાઈ રહે તેનું ધ્યાન રાખે. હાલમાં તેઓ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં અશ્વિનને તમામ સુવિધા આપવામાં આવશે.
વધુ વાંચો: IND vs ENG: ટીમ ઇન્ડિયાને મળશે અશ્વિનનો રિપ્લેસમેન્ટ ખેલાડી? જાણો શું કહે છે ICCનો નિયમ
IND vs ENG
હાલમાં રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અશ્વિને 500 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કરી લીધો છે. ઈંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી ઈનિંગમાં બે વિકેટ પર 207 રન કર્યા હતા. ભારતે પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ 238 રનથી પાછળ છે. ભારતીય ટીમના રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે એક એક વિકેટ લીધી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ