બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ભારત / PM Modi speaks for the first time on Parliament security Breach case, 'This incident is sad and worrying'
Megha
Last Updated: 09:28 AM, 17 December 2023
13 ડિસેમ્બરે સંસદની સુરક્ષા ભંગ થવાની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ કહ્યું કે 'આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે, પરંતુ તેના પર ચર્ચા કે વિરોધ કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે જેથી કરીને ઉકેલ શોધી શકાય. '
આગળ આ વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, 'સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ. તેથી સ્પીકર સાહેબ સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ કડકાઈથી તપાસ કરી રહી છે. આની પાછળ કયા તત્વો અને ઈરાદાઓ છે તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે. એક મનથી આનું સમાધાન શોધવું જોઈએ. દરેક વ્યક્તિએ આવા વિષયો પર વાદ-વિવાદ કે પ્રતિકાર ટાળવો જોઈએ.'
Prime Minister #Modi breaks his silence on Parliament security breach. Says needs to be investigated. PM also spoke 370, Ram Temple and I.N.D.I.A issue. But more importantly, the election season is officially on. PM has started to give interviews pic.twitter.com/BCFHKak0GF
— Kartikeya Sharma (@kartikeya_1975) December 17, 2023
ઓમ બિરલાએ લોકસભાના સાંસદોને પત્ર લખ્યો હતો
આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોને પત્ર લખીને 13 ડિસેમ્બરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. લોકસભાના અધ્યક્ષે પોતાના પત્રમાં લખ્યું કે, 13 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના આપણા બધા માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. તે જ દિવસે મેં તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી કે આપણે સંસદની સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે મજબૂત કરી શકીએ અને બેઠકમાં આપેલા મહત્વના સૂચનો તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યા છે.
નોંધનીય છે કે 13 ડિસેમ્બરે સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર બે લોકો ગૃહમાં ઘૂસી ગયા અને સ્મોક બોમ્બથી હુમલો કર્યો. સ્મોક બોમ્બના કારણે સંસદમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે સાંસદોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. જો કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને માત્ર ગૃહમાં પ્રવેશનાર વ્યક્તિની જ નહીં પરંતુ ગૃહની બહાર હાજર તેના બે સહયોગીઓની પણ ધરપકડ કરી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime