બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM Modi continued the tradition of sending prasad in the Rath Yatra, sending prasad of dry feet, mangoes, jambu, mango, cucumb
Last Updated: 11:13 PM, 19 June 2023
ADVERTISEMENT
અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. જેના કારણે શહેરભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ભગવાન જગન્નાથની મંગલ આરતી કરશે. સવારે સાત વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. જેમાં ભગવાન જગન્નાથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભગવાનનો રથ ખેંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાને પ્રસાદ મોકલ્યો હતો.
વર્ષે પ્રથમ વખત 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છેઃ ગૃહરાજ્ય મંત્રી
ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ પણ હશે. ભગવાન જગન્નાથના દર્શન કરવા શહેરીજનો ઉમટી પડશે. ત્યારે શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાંથી રથ પસાર થશે. જેના કારણે 26 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'આ વર્ષે પ્રથમ વખત 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી ઓનલાઈન ટ્રેક કરવામાં આવશે. લાઈવ ફીડ મેળવ્યા પછી રથ ક્યાં છે? સ્થળ પર શું સ્થિતિ છે. કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી તેનું મોનિટરિંગ રાખવામાં આવશે.
ADVERTISEMENT
મોદીજીએ પ્રસાદ મોકલ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાજર ન હોય. પરંતુ તેમ છતાં તેઓ કોઈને કોઈ સ્વરૂપે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. ભગવાન જગન્નાથને જે પ્રસાદ ધરાવવામાં આવે છે તે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જ મોકલવામાં આવે છે. દર વર્ષે વડાપ્રધાન જગન્નાથ યાત્રા દરમિયાન વડાપ્રધાન પ્રસાદ મોકલે છે. પ્રસાદ સ્વરૂપે ડ્રાયફ્રુટ્સ, કેરી, મગ, કાકડી વગેરે પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.