બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM Modi continued the tradition of sending prasad in the Rath Yatra, sending prasad of dry feet, mangoes, jambu, mango, cucumb

જય જગન્નાથ / રથયાત્રામાં પ્રસાદ મોકલવાની પરંપરા PM મોદીએ યથાવત રાખી, ડ્રાયફુટ, કેરી, જાંબુ, મગ, કાકળી અને ફુટનો પ્રસાદ મોકલ્યો

Published By: Vishal Khamar

Last Updated: 11:13 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દર વર્ષે જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે યાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 26 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

  • ભગવાન જગન્નાથની 146 રથયાત્રા 
  • પીએમ મોદીએ મંદિર ખાતે મોકલ્યો પ્રસાદ 
  • ડ્રાયફુટ, કેરી, જાંબુ, મંગ, કાકળી અને ફુટનો પ્રસાદ મોકલ્યો 

 અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. જેના કારણે શહેરભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ભગવાન જગન્નાથની મંગલ આરતી કરશે. સવારે સાત વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. જેમાં ભગવાન જગન્નાથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભગવાનનો રથ ખેંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાને પ્રસાદ મોકલ્યો હતો.
વર્ષે પ્રથમ વખત 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છેઃ ગૃહરાજ્ય મંત્રી
ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ પણ હશે. ભગવાન જગન્નાથના દર્શન કરવા શહેરીજનો ઉમટી પડશે. ત્યારે શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાંથી રથ પસાર થશે. જેના કારણે 26 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં છે.  ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'આ વર્ષે પ્રથમ વખત 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી ઓનલાઈન ટ્રેક કરવામાં આવશે. લાઈવ ફીડ મેળવ્યા પછી રથ ક્યાં છે? સ્થળ પર શું સ્થિતિ છે. કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી તેનું મોનિટરિંગ રાખવામાં આવશે.

મોદીજીએ પ્રસાદ મોકલ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાજર ન હોય. પરંતુ તેમ છતાં તેઓ કોઈને કોઈ સ્વરૂપે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. ભગવાન જગન્નાથને જે પ્રસાદ ધરાવવામાં આવે છે તે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જ મોકલવામાં આવે છે.  દર વર્ષે વડાપ્રધાન જગન્નાથ યાત્રા દરમિયાન વડાપ્રધાન પ્રસાદ મોકલે છે.  પ્રસાદ સ્વરૂપે ડ્રાયફ્રુટ્સ, કેરી, મગ, કાકડી વગેરે પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Jagannath Yatra 2023 Prasad sent amit shah prime minister અમિત શાહ જગન્નાથ યાત્રા હર્ષ સંઘવી Jagannath Rath Yatra 2023

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ