બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pavagarh Tragedy: Usha Braco Company Manager Vinod Prasad's talk with VTV NEWS
Malay
Last Updated: 11:54 AM, 26 August 2023
Panchmahal News: જગ વિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ગતરોજ મોટી દુર્ઘટના ટળી હતી. પાવાગઢમાં રોપ-વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં યાત્રાળુઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઘટનાને પગલે રોપ-વેના ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાવાગઢમાં રોપ-વેનો કેબલ ઉતરી જવાના મુદ્દે ઉષા બ્રેકો કંપનીના મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે.
પોલ નંબર 5 પર સર્જાઈ હતી ટેક્નિકલ ખામી
ઉષા બ્રેકો કંપનીના મેનેજર વિનોદ પ્રસાદે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગઈકાલે સાંજે 7.30 વાગ્યાની આસપાસ રોપ-વેના પોલ નંબર 5 પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ અમારી ટેક્નિકલ ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. ટેક્નિકલ ખામીને રાત્રે જ રિપેર કરી દેવામાં આવી હતી. જે બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.
ટેક્નિકલ ખામી દૂર કરાઈઃ વિનોદ પ્રસાદ
તેઓએ જણાવ્યું કે, આજે સવારે પણ પ્રિઈન્પેક્શન કરવામાં આવ્યું હતું. બધુ બરાબર લાગ્યા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી. અત્યારે રોપ-વે સેવા બરાબર રીતે ચાલી રહી છે.
ઉડન ખટોલામાં ફસાયા હતા યાત્રાળુઓ
આપને જણાવી દઈએ કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ઉષા બ્રેકો દ્વારા યાત્રાળુઓના અવર-જવર કરવા માટે રોપ-વે સેવાનું સંચાલન કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે મોડી સાંજે અચાનક રોપ-વેનો કેબલ નીકળી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ અચાનક સર્જાયેલા આ બનાવને પગલે ઉપરથી નીચે આવી રહેલા યાત્રાળુઓ ઉડન ખટોલામાં ફસાયા હતા. આ ઉડન ખટોલા અચાનક બંધ થઈ જવાના કારણે યાત્રાળુઓમાં જીવ ટાળવે ચોટ્યો હતો. અચાનક કેમ રોપ-વે બંધ થઈ ગઈ હતી, તેનું કારણ યાત્રાળુઓને જાણવા મળ્યું ન હતું. 40 મિનિટ બોગીમાં બેસી રહ્યા બાદ તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા 40 મિનિટ ફસાયેલા યાત્રાળુઓ અત્યંત ગુસ્સે ભરાયા હતા.
થોડા દિવસ અગાઉ જ મેઈન્ટેનન્સની કામગીરી કરાઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિના ઓગસ્ટમાં રોપ-વેની મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી. જોકે, મેઈન્ટેનન્સની કામગીરીને લઈ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. મેઈન્ટેનન્સની કામગીરી કર્યાને માત્ર ગણતરીના દિવસો જ થયા છે ત્યારે ફરી ખામી સર્જાઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime