બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Dinesh
Last Updated: 09:47 PM, 30 May 2023
અમદાવાદમાં રિક્ષા ચાલાકો બેફામ બનીને રિક્ષા ચલાવી રહ્યા છે. પાછળની સીટ પર ત્રણ પેસેન્જરના બદલે ચારથી પાંચ અને આગળ પણ 2 પેસેન્જર બેસાડી લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે. આજે જ વાડજ ખાતે પણ બેફામ પેસેન્જરને ભરી જતા રિક્ષાનો એક્સિડન્ટ થયો હતો અને અગાઉ પણ અનેક બનાવો બન્યા છે, છતાં આ રિક્ષા પર પોલીસ તંત્રનો કોઈ જ કંટ્રોલ ન હોવાથી અનેક લોકો રિક્ષાનો ભોગ બની રહ્યા છે.
રિક્ષાઓ પર પોલીસનો કોઈ કંટ્રોલ નથી?
અમદાવાદનો રિક્ષા વાળો કહેવત તો સૌને ખબર હશે પરંતુ આ કહેવત જ્યારે પ્રથમ વખત ઉચ્ચારાઈ હશે ત્યારે અમદાવાદના રિક્ષા ચાલકો નિયમોમાં માનતા હશે પરંતુ હવે આ કહેવતને જો સારા અર્થમાં કહેવી હોય તો હવે અમદાવાદનો બેફામ રિક્ષા વાળો કહેવી પડે તેવી છે. અમદાવાદમાં બેફામ ફરતા રિક્ષા ચાલાકો અનેક લોકોને અડફેટ લઈ રહ્યા છે અને આજે તો વાડજમાં અક્સમાતનો પણ બનાવ બન્યો છે. અનેક વખત ઓવરલોક અને ઓવર સ્પિડના લીધે રિક્ષાઓ પલ્ટી ખાતી પણ નજરે પડી છે છતાં રીક્ષાઓ પર પોલીસનો કોઈ કંટ્રોલ જોવા મળતો નથી.
લોકોએ શું કહ્યું ?
વીટીવીએ રિક્ષા ચાલાકો અને પેસેન્જર સાથે પણ વાત કરી તો લોકોનું કહેવુ છે કે, રિક્ષા સરળતાથી મળી જાય છે. રિક્ષાનું ભાડુ ઓછુ હોય છે અને રિક્ષા એક સ્ટેન્ડથી પેસેન્જર ભરીને ઉપડે તો સીધા જે તે જગ્યાએ ઉતારે છે ત્યારે બસ દરેક જગ્યાએ સ્ટોપ લેતી હોવાથી જવામાં લેટ થવાતુ હોય છે. સાથે જ પેસેન્જરો પણ માની રહ્યા છે કે જો સસ્તુ જોઈએ તો રિક્ષામાં જેટલા લોકોને બેસાડે તે સહન કરવુ પડે છે.
રિક્ષા ચાલાકોએ શુ જણાવ્યું ?
રિક્ષા ચાલાકો કહી રહ્યા છે કે, સીએનજીના ભાવ વધુ છે અને રિક્ષાના હપ્તા ભરવા માટે વધુ લોકોને બેસાડવા પડે છે તેમજ લોકોને શેરીંગ રીક્ષા સસ્તી પડે છે માટે લોકો વધુ બેસવાનું પસંદ કરે છે, જો ત્રણને જ બેસાડીએ તો પોસાતુ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime