બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Now the Krishna Janmabhoomi controversy has reached the Supreme Court, demanding a survey like Gnanvapi
Priyakant
Last Updated: 12:38 PM, 14 August 2023
કૃષ્ણ જન્મભૂમિ વિવાદ : અયોધ્યા, કાશી બાદ હવે મથુરાની કૃષ્ણ જન્મભૂમિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં જ્ઞાનવાપીમાં ASI દ્વારા કરવામાં આવી રહેલા સર્વેની જેમ સ્થળનો સાયન્ટિફિક સર્વે કરવાની માંગ કરવામાં આવી છે.
કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજી મુજબ વિવાદિત જમીનના સંદર્ભમાં અરજદાર અને પ્રતિવાદી નંબર 1 દ્વારા કરવામાં આવેલા દાવાની વિશ્વસનીયતાની ખાતરી કરવા માટે વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવું હિતાવહ છે. આ સર્વે જરૂરી ડેટા પ્રદાન કરશે અને ચોકસાઈ ચકાસશે અને કોઈપણ નિષ્કર્ષ અથવા નિર્ણય માટે વિશ્વસનીય આધાર પૂરો પાડશે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વિવાદિત જમીનના સંદર્ભમાં ધાર્મિક સંદર્ભમાં સ્થળના ધાર્મિક ઇતિહાસ અને મહત્વને સંપૂર્ણ રીતે સમજવા માટે યોગ્ય વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને તેના દ્વારા તેના ભૂતકાળની વ્યાપક તપાસ અને અભ્યાસ જરૂરી છે.
જ્ઞાનવાપીમાં કરવામાં આવી રહ્યો છે સર્વે
ASI ટીમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્ઞાનવાપીનો સર્વે કરી રહી છે. 3D મેપિંગ, સ્કેનિંગ, હાઇટેક ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી દ્વારા 'પુરાવા' એકત્ર કરવામાં આવી રહ્યા છે. IT કાનપુરના નિષ્ણાતોની ટીમને GPR (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) મશીનથી સર્વે માટે બોલાવવામાં આવી છે. આ ટેકનીકથી જમીનની નીચે ખોદકામ કર્યા વગર તપાસ કરવામાં આવશે.
જ્ઞાનવાપી સર્વેમાં અત્યાર સુધી શું મળ્યું?
હિંદુ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ASIના સર્વેમાં જ્ઞાનવાપીના ભોંયરામાં મંદિર સંબંધિત કલાકૃતિઓ મળી આવી હતી. દિવાલો પર ત્રિશુલ, કલશ, કમળ અને સ્વસ્તિકના નિશાન જોવા મળ્યા છે. જોકે મુસ્લિમ પક્ષે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે સર્વેને લગતા સમાચાર લીક થવા પર નારાજગી વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો