બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
Manisha Jogi
Last Updated: 09:32 AM, 12 May 2023
આપણી આસપાસ અનેક લોકો એવા હોય છે, જેમને ખરાબ અને ડરામણાં સપના આવે છે. જે લોકોને ખરાબ સપના આવે છે, તેમને પરસેવો વળે છે, ધબકારા વધી જાય છે તથા અચાનક ઊંઘમાંથી જાગી જાય છે. આ ખરાબ સપનાને કેવી રીતે રોકી શકાય?
વર્ષ 2010માં એક સ્ટડી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ સપનાને રોકી શકતી નથી, પરંતુ કેટલીક એવી ટેકનિક છે, જેના કારણે ખરાબ સપના આવવાની શક્યતા ઓછી રહે છે.’
મગજ શાંત રાખવું
સૂતા પહેલા મગજ જેટલું એક્ટીવ રહે છે, તેટલા ખરાબ સપના આવવાની સંભાવના વધુ રહે છે. આ કારણોસર મગજ સૂતા પહેલા શાંત રાખવું જોઈએ.
ગેજેટ્સથી દૂર રહો
સૂતા પહેલા ઈલેક્ટ્રોનિક્સ, થ્રિલર ટીવી શો અથવા સીરિથ ના જોવી જોઈએ. ચિંતા ના થાય તે માટે સૂતા પહેલા ગરમ પાણીથી નાહી લો. હળવું મ્યુઝિક સાંભળો અને બ્રીધિંગ એક્સરસાઈઝ કરો.
તણાવ ઓછો લેવો
તણાવ ઓછો કરવો તે આપણા હાથમાં નથી, પરંતુ તણાવ ઓછો લેવામાં આવે તો ઊંઘમાં સુધારો થાય છે. આ કારણોસર દિવસે તણાવ લેવામાં આવે તો રાત્રે ડરામણાં સપના આવવાનું જોખમ રહે છે.
તણાવ ઓછો કરવા માટે શારીરિક એક્ટિવિટી કરો-
જેમ કે, ચાલવું, દોડવું અથવા યોગા કરવા. આ પ્રકારે કરવાથી એંડોર્ફિન રિલીઝ થાય છે, જેના કારણે મૂડ સારો રહે છે. ઉપરાંત એરોમાથેરાપી લો, મ્યુઝિક સાંભળો, પુસ્તક વાંચો, પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરો.
ઊંઘ માટે સારું વાતાવરણ રાખવું
તમે જે જગ્યાએ સૂવો છો તે જગ્યા શાંત, અંધારપટ અને સારી ઊંઘ આવે તેવું હોવું જોઈએ. ઊંઘ નથી આવી રહી તો રૂમનું વાતાવરણ સૂવાલાયક બનાવો.
ઉત્તેજક વસ્તુનું સેવન ના કરવું
સૂતા પહેલા કેફીન, દારૂનું સેવન કરવાથી મગજ એક્ટીવ રહે છે. કેફીન અને આલ્કોહોલના કારણે ઊંઘની ગુણવત્તા પર અસર થાય છે અને ખરાબ સપના આવવાની સંભાવના વધી જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ