બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
Manisha Jogi
Last Updated: 10:32 AM, 22 October 2023
આજે શારદીય નવરાત્રીનો આઠમો દિવસ છે. સમગ્ર દેશમાં મહાઅષ્ટમી પર્વ ઊજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે કન્યાઓને બોલીવીને પૂજા કરવાની પરંપરા છે. આજના દિવસે માઁ દુર્ગાની પૂજાનું વિધાન રહેલું છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન નાણાંકીય તંગી સર્જાતી નથી અને તમામ ક્ષેત્રે સફળતા મળે છે.
અષ્ટમી ઉપાય
ધનપ્રાપ્તિ માટે ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાઅષ્ટમીના દિવસે લવિંગ અને કપૂરના ઉપાય કરવાથી નાણાંકીય તંગી સર્જાતી નથી. આ દિવસે માઁ દુર્ગાને લવિંગ અને કપૂર અર્પણ કરવું, ત્યારપછી દેવીના આ પ્રસાદને તિજોરી અથવા પર્સમાં રાખી લેવી. જેથી આર્થિક પરેશાની દૂર થશે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે.
બિમારીમાંથી મુક્તિ માટેના ઉપાય
મહાઅષ્ટમીના દિવસે માઁ દુર્ગાને લવિંગની માળા અને લાલ ગુલાબની માળા અર્પણ કરો. આ ઉપાય કરવાથી માઁ દુર્ગા પ્રસન્ન થાય છે અને જીવનમાં ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. આ ઉપાય કરવાથી શારીરિક સમસ્યા દૂર થાય છે અને દેવાથી રાહત મળે છે.
ગુપ્ત ઈચ્છાપૂર્તિ માટે
મનમાં રહેલી કોઈ ઈચ્છા લાંબા સમયથી પૂર્ણ નથી થઈ રહી તો મહાઅષ્ટમીના દિવસે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. લાંબા સમયથી કામ પૂર્ણ નથી થઈ રહ્યું તો કપૂર અને લવિંગ સળગાવીને આખા ઘરમાં ફેરવવું. આ ઉપાય કરવાથી ઈચ્છાપૂર્થિ થાય છે અને તમામ કામ થઈ જાય છે.
નકારાત્મકતા દૂર કરવાના ઉપાય
ઘરમાં નેગેટિવિટી હોય તો આજના દિવસે માઁ દુર્ગાની સામે કપૂર અને લવિંગ સળગાવો. ત્યારપછી માતાજીની આરતી કરો. જેથી ઘરમાં ખુશીઓનો વાસ થાય છે, નકારાત્મકતા દૂર થાય છે તથા સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને જીવનમાં સફળતા મળે છે.
આર્થિક લાભ થાય છે
જો તમે કોઈ વ્યક્તિને ઉધાર પૈસા આપ્યા હોય અને પરત નથી મળી રહ્યા તો આજના દિવસે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. આજના દિવસે ગુલાબજળમાં કપૂર મિશ્ર કરીને માઁ દુર્ગાને અર્પણ કરો. આ ઉપાય કતરવાથી ધન સંબંધિત પરેશાની દૂર થશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ