બ્રેકિંગ ન્યુઝ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ
ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ
રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ
અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત
અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા
PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ
Vaidehi
Last Updated: 06:29 PM, 2 January 2024
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિંદૂ કેલેન્ડરનાં દરમહિનામાં 5 દિવસ અશુભ માનવામાં આવે છે. તેને પંચકનાં નામે ઓળખવામાં આવે છે. પંચક જે દિવસથી શરૂ થાય છે તે દિવસથી જ તેના ક્રૂર પ્રભાવની અસર શરૂ થઈ જાય છે. 2024નાં પહેલા જ મહિને જે પંચક આવશે તેને મૃત્યુ પંચક કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં મૃત્યુ પંચકને ખતરનાક કહેવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ નહીંતર લાંબા સમય સુધી ખરાબ પરિણામો ભોગવવા પડે છે.
વાંચવા જેવું: શનિની સાડાસાતીથી 2025માં મુક્ત થશે મેષ: તમારી રાશિ પ્રમાણે જાણો કઈ રાશિ પર કયા વર્ષમાં લાગશે સાડાસાતી
ADVERTISEMENT
પંચક એટલે શું?
જ્યારે ચંદ્ર ધનિષ્ઠા, શતભિષા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં વિચરણ કરે છે તો તેને પંચક કહેવામાં આવે છે. આ તમામ નક્ષત્રોને પાર કરવામાં ચંદ્રમાને આશકે 5 દિવસો લાગે છે અને પ્રત્યેક 27 દિવસો બાદ ફરી પંચક લાગે છે.
જાન્યુઆરી 2024માં ક્યારે શરૂ થશે મૃત્યુ પંચક?
મૃત્યુ પંચક 13 જાન્યુઆરી 2024 શનિવારે રાત્રે 11.35 વાગ્યે શરૂ થશે. તેનું સમાપન 18 જાન્યુઆરી 2024નાં સવારે 3.33 વાગ્યે થશે. શનિવારનાં દિવસે શરૂ થનારા પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે.
મૃત્યુ પંચકમાં ધ્યાનમાં રાખવાની બાબતો
જ્યોતિષ અનુસાર જો પંચકકાળમાં કોઈનું મૃત્યુ થાય છે તો તેને અશુભ માનવામાં આવે છે કારણકે તેની સાથે કુળમાંથી બીજા 5 લોકોનાં મૃત્યુની આશંકા જન્મે છે. મૃત્યુ પંચક કાળમાં કોઈનું મૃત્યુ થાય છે તો તેમના શવનાં અંતિમ સંસ્કારની સાથે જ કુળનાં પાંચ પુતળા બનાવીને વિધિવિધાનથી તેમનું અંતિમ સંસ્કાર કરવાનું વિધાન છે જેથી પંચકનાં અશુભ ફળોને ટાળી શકાય.
મૃત્યુ પંચકમાં શું ન કરવું?
આ પાંચ દિવસોમાં કોઈપણ પ્રકારનાં રિસ્કથી ભરેલા કામ ન કરવા જોઈએ. તેના પ્રભાવને લીધે વિવાદ, ઈજા, દુર્ઘટના વગેરે થવાનો ખતરો હોય છે. પંચકનાં સમયે લાકડું ખરીદવું, છત બનાવવી, શય્યાનું નિર્માણ અને દક્ષિણની યાત્રા કરવું વર્જિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT