બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi Bridge tragedy victim's letter to CM and PM
Priyakant
Last Updated: 02:33 PM, 17 December 2023
Morbi Bridge Collapse Case : મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડીત પરીવારે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. પીડીત પરીવારે પત્ર લખી એવી રજૂઆત કરી છે કે, ઓરેવા ગ્રૂપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલની જામીન અરજીનો સરકારી વકીલે વિરોધ કર્યો નથી. પીડિત પરિવારનું કહેવું છે કે, સરકારી વકીલના નિર્ણયને સરકારના નિર્ણય તરીકે જોવાઇ રહ્યો છે.
વાત જાણે એમ છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન અરજી કરી હતી. જે મામલે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલે જામીન માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. આ બાબતે સરકારી વકીલે કહ્યું હતું કે, જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથી. ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે. તેમજ કેસમાં ઘણા બધા સાક્ષીઓ હોવાને કારણે સમય લાગે એમ છે.જેલમાં રહેવાથી જયસુખ પટેલનાં ઉદ્યોગો પર અસર પડી રહી છે.
આ તરફ હવે મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડીત પરીવારે નારાજગી વ્યક્ત કરી CM અને PMને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કહ્યું કે, પબ્લિક પ્રોસીક્યુટરે જામીન અરજીનો વિરોધ કર્યો નથી. જ્યારે ઓક્ટોમ્બર 2022માં દુર્ઘટના થઇ ત્યારે રાજ્ય સરકારે પીડીતોને આશ્વાસન આપ્યું હતું કે કોઇ જ ચમરબંધીને છોડવામાં આવશે નહિં આવે. પણ અહીં તેનાથી ઉલ્ટું થઇ રહી હોવાની ભીતિ પીડીતો ને સતાવી રહી છે. તેથી ન્યાય ના હક માં રાજ્ય સરકાર અને પબ્લિક પ્રોસીક્યુટર વર્તે તે અત્યંત જરૂરી છે.
શું કહી રહ્યા છે પીડિત પરિવાર ?
મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારે CM અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલને જામીન આપવાનો વકીલે વિરોધ ન કરતાં પરિવાર નારાજ થયો છે. હાઇકોર્ટમાં સરકારી વકીલે જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ ન કરતાં પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. પીડિત પરિવાર કહી રહ્યા છે કે, સરકારી વકીલના નિર્ણયને સરકારના નિર્ણય તરીકે જોવાઇ રહ્યો છે. સરકાર પણ જયસુખ પટેલને જામીન મળે તેવું ઇચ્છી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ