બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Moon not visible today, Eid to be celebrated on May 3 in country including UP, announcement of Chand Committee
Hiralal
Last Updated: 08:59 PM, 1 May 2022
મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાનને અંત આવતી ઈદ હવે 3 મેના રોજ સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવાશે. હકીકતમાં રવિવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે ઈદનો ચાંદ દેખાયો નહોતો તેથી મુસ્લિમ બિરાદરો સોમવારે 30મો રોજો રાખશે અને મંગળવાર એટલે કે 3 મેના દિવસે યુપી સહિત સમગ્ર દેશમાં ઈદ મનાવાશે. મરકઝી ચંદ કમિટીના સદર મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે 29મા રોજાના દિવસે શવ્વાલનો ચાંદ જોવા મળ્યો નથી એટલે સોમવારે 30મો રોજો રાખવામાં આવશે.
રવિવારે યુપી સહિત દેશમાં ન દેખાયો ઈદનો ચાંદ
આજે (રવિવારે) યુપીની રાજધાની લખનઉ સહિત દેશના કોઈ પણ ભાગમાં ચંદ્ર જોવા મળ્યો ન હતો.
Eid-ul-Fitr, which marks the culmination of the month of Ramzan, will be celebrated in India on Tuesday as the moon was not sighted on Sunday evening: Fatehpuri Masjid Imam Mufti Mukarram Ahmad
— Press Trust of India (@PTI_News) May 1, 2022
જામા મસ્જિદ માર્કેટમાં ભારે ભીડ
દિલ્હીના જામા મસ્જિદ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે. અહીં ઈદ-ઉલ-ફિત્રના તહેવારે બજારમાં દુકાન ઉભી કરનાર ઉબેદ અંસારીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી લોકડાઉન અને કોરોનાને કારણે ઘરે ઘરે ઈદની ઉજવણી કરવામાં આવી રહી હતી, પરંતુ આ વર્ષે ઈદ પર લોકોના ચહેરા સ્પષ્ટ જોઈ શકાય છે. લોકો ખૂબ જ ખરીદી કરી રહ્યા છે અને આ વખતે બજારમાં ઘણી ભીડ છે.
જાણો ઈદમાં શું મહત્વ હોય છે ચાંદનું
સામાન્ય રીતે, રમઝાન અને ઈદ ઉલ ફિત્રનો ચાંદ સૌથી પહેલા સાઉદી અરેબિયા, યુએઈ અને ભારતના કેટલાક વિસ્તારો, બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં દેખાતો હોય છે અને ત્યાર બાદ બીજા દિવસે સમગ્ર ભારતમાં જોવા મળતો હોય છે. આરબ રાષ્ટ્રોમાં 2 મેના દિવસે ઈદ મનાવાશે. જો 1 મેના દિવસે ચાંદ જોવા મળ્યો હોત તો ભારત અને સાઉદી અરેબિયાના મુસ્લિમો સૌથી દુર્લભ કેસના સાક્ષ બનેત એટલે કે એ જ દિવસે ઈદ મનાવેત. જો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને સાઉથ એશિયાના બીજા દેશોમાં ચાંદ જોવા ન મળે તો 2 મેના દિવસને રમઝાનનો છેલ્લો દિવસ જાહેર કરી દેવાત અને બીજા દિવસ એટલે કે મંગળવારે ઈદના તહેવારની ઉજવણી થાત.
ઈદની સાથે અક્ષય તૃતિયાનો પણ તહેવાર
ઉલ્લેખનીય છે 3 મેના દિવસે ઈદની સાથે અક્ષય તૃતિયાનો પણ તહેવાર છે. દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ તૃતિયા તિથિએ અક્ષય તૃતિયા મનાવાય છે. આ દિવસે સોના, ચાંદી, મકાન, વાહન વગેરેની ખરીદી કરવી શુભ ગણાય છે. તે દિવસે 3 મેના રોજ પરશુરામ જયંતિ પણ મનાવાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો