બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અમદાવાદ / Minister Rishikesh Patel held a meeting with senior officials regarding heart attack
Kishor
Last Updated: 06:57 PM, 23 October 2023
કોરોના બાદ યુવાઓમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાએ સૌથી મોટી સમસ્યા ગણી શકાય છે. બીજી તરવ રાજ્યમાં વધતા હાર્ટ એટેકના બનાવોને લઈ રાજ્ય સરકારે ચંતા વ્યક્ત કરી છે. આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનાઓ આપી હતી. છેલ્લા 48 કલાકમાં 15 હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. ત્યારે આગામી સમયમાં શું તકેદારી રાખવી સહિતની વિચાણા અંગે રાજ્ય સરકાર દ્વારા બેઠકનું આયોજન કરાયું.
રાજ્યમાં હાર્ટ એટેકે હાહાકાર મચાવ્યો
યુવાઓ ગરબે રમતા, રીક્ષા ચલાવતા, કસરત કરતા, ક્રિકેટ રમતા અચાનક ઢળી પડ્યા બાદ યુવાનોના હૃદય બંધ પડી જવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને લઈને તબીબ આલમ ચિંતામાં છે તો રાજ્ય સરકાર પણ સતર્ક બની છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પેટેલે રાજ્યના વિવિધ સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડિરેક્ટર, તથા અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેટ સહિતના તબીબો પણ હાજર રહ્યા હતા.
11 લોકોના હાર્ટ એટેકના કારણે મોત
આ પહેલા આનંદી બેન પટેલે પણ વધતા હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કોરોના રસીના કારણે નહીં પરંતુ કોરાના વાયરસના કરાણે કેસ વધી રહ્યા છે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ, અને વધતા હાર્ટ એટેકના કેસને કેવી રીતી અટકાવી શકાય તેવી તે અંગે પણ સતરવરે વિચાણા કરવી જોઈએ. મહત્વનું છે કે ઉંમર નાની હોય કે મોટી, પરંતુ હાર્ટ એટેકની હોવાના કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે. હાલ સુધી તો આ પ્રકારની ઘટના શાં માટે બની રહી છે તેના કોઈ ચોક્કસ કારણો તો જાણી શકાયા નથી, પરંતુ મહત્વના કારણોમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યાના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન ગરબે રમતા કે ગરબે રમીને પરત આવતા 11 લોકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કોઈ અન્ય બિમારી હોય તો તેનું પણ સત્વરે તબીબની સલાહ લેવી જોઈએ.
હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુનો દર સતત વધી રહ્યો છે ત્યારે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઇએ. કોરોનાના કયા વેક્સિન લીધા હતા ? તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ શોધી આગોતરી દવાઓ અને તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ના આવે . pic.twitter.com/bVywXN6LfN
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) October 23, 2023
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન
બીજી તરફ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુનો દર સતત વધી રહ્યો છે ત્યારે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઇએ . કોરોનાની કઇ વેક્સિન લીધી તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ શોધી આગોતરી દવાઓ કે તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ના આવે! તેમ અંતમાં કહ્યુ હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime