બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Make lifestyle changes control type 2 diabetes, small steps will pay off big

આરોગ્ય / ટાઇપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવા લાઈફસ્ટાઈલમાં કરો બદલાવ, નાના કામથી થશે મોટો ફાયદો

Ajit Jadeja

Last Updated: 07:48 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. જેને લઇને ડાયાબિટીસ અનિયંત્રિત થવાની સંભાવના હંમેશા રહે છે

ટાઈપ 2 ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે પરંતુ જો તમે તમારી જીવનશૈલી બદલો તો તેને નિયંત્રિત કરી શકાય છે. આહારમાં ફેરફાર કરીને અને દરરોજ કસરત કરીને તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. મિડિયાના એક અહેવાલ અનુસાર કોલેજ ઓફ મેડિકલ સાયન્સના એન્ડોક્રિનોલોજીના ડાયરેક્ટર અને પ્રોફેસર ડૉ. એસ.વી. મધુએ જણાવ્યું કે ટાઈપ 2 ડાયાબિટીસ અસ્વસ્થ જીવનશૈલીને કારણે થાય છે, તેથી તેને જીવનશૈલીમાં ફેરફાર કરીને જ નિયંત્રિત કરી શકાય છે. આના માટે 15 કિલો કે તેથી વધુ વજન ઘટાડવું જરૂરી છે, ખાસ કરીને જેઓ વધારે વજન ધરાવતા અથવા મેદસ્વી છે. મતલબ કે જો તમે સ્થૂળતા ઘટાડશો તો ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે અથવા ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

ડાયાબિટીસ કાબૂમાં હોય ત્યારે દવાની જરૂર છે?

 મેડિકલ ડોક્ટરોનું માનીએ તો મેદાંતા મેડિસિટીના એન્ડોક્રિનોલોજી અને ડાયાબિટોલોજીના ડાયરેક્ટર ડો. જસજીતસિંહ વસીરનું માનવું છે કે સામાન્ય બ્લડ સુગર લેવલ પર દવાની જરૂર નથી. ડૉ. મોહન ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટર અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. વી. મોહને જણાવ્યું હતું કે, એકંદરે 5% કરતા ઓછા લોકોને રાહત મળે છે. તેમણે કહ્યું કે જ્યારે બ્લડ શુગર લેવલ 5.6 કરતા ઓછું હોય ત્યારે જ રાહત માનવામાં આવે છે.

શું ડાયાબિટીસ ફરીથી અનિયંત્રિત થઈ શકે છે?

એકવાર કંટ્રોલ કરી લીધા પછી પણ ડાયાબિટીસ અનિયંત્રિત થવાની શક્યતા હંમેશા રહે છે, કારણ કે ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. તમે યોગ્ય દિનચર્યા જીવો તો ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું છે. દર્દી જેટલો વધુ સ્થૂળ હોય છે, જો તેનું વજન ઘટે તો આ રોગનું જોખમ ઓછું હોય છે.

શું વધારે સ્થૂળતા ખતરનાક છે?

ફોર્ટિસ સી-ડૉક હોસ્પિટલના ડાયાબિટીસ અને એન્ડોક્રિનોલોજીના ડાયરેક્ટર ડૉ. અનુપ મિશ્રા કહે છે કે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું માત્ર થોડા સમય માટે જ ટકી શકે છે. જે લોકોને તાજેતરમાં ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે અને તેઓ મેદસ્વી ન હોય તેવા લોકો કરતાં જીવિત રહેવાની શક્યતા વધારે છે. ઓછા સમયગાળામાં ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને નિયંત્રણમાં આવવાની શક્યતા વધુ હોય છે જેઓ તેમના પ્રારંભિક વજનના 15% થી વધુ ગુમાવે છે તેઓને માફીની શક્યતા 80 ટકા જેટલી વધુ હોય છે.

શું બેરિયાટ્રિક સર્જરી મેદસ્વિતા ઘટાડી શકે છે?

AIIMSના પ્રોફેસર અને કન્સલ્ટન્ટ બેરિયાટ્રિક સર્જન ડૉ.સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે બેરિયાટ્રિક સર્જરી વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, જે ટાઈપ-2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ છે. બેરિયાટ્રિક સર્જરી પછી વજન ઘટાડવાનું વિશ્લેષણ દર્શાવે છે કે 86.6% દર્દીઓમાં ડાયાબિટીસમાં સુધારો થયો છે.

વધુ વાંચો : હળદરની ચા કે દૂધ પીતા હોય તો ઉલમાંથી ચૂલમાં પડશો, આ લોકો પર ઝેરની જેમ કરે છે અસર

ડાયાબિટીસ કંટ્રોલ કરવા શું કરવું

1. નિષ્ણાતોની દેખરેખ હેઠળ દરરોજ 800 કે તેથી ઓછી કેલરીનો વપરાશ કરવો. સામાન્ય રીતે દરરોજ 1600-2000 કેલરી લેવી જોઈએ.
2. નિષ્ણાતોની દેખરેખ હેઠળ 20-20 ગ્રામ લો કાર્બ આહાર લો. સામાન્ય રીતે વ્યક્તિએ દરરોજ 200 ગ્રામ કાર્બોહાઈડ્રેટ લેવું જોઈએ.
3. યોગ્ય આહાર યોજનાની સાથે મધ્યમ કસરત પર ધ્યાન આપો.
4. બેરિયાટ્રિક સર્જરીની મદદ લઈ શકે છે.

(Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ