બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Mahant Raju Das of Ayodhya's Hanumangarhi temple came in support of the movie Adipurush; said- 'Tukde-tukde gang is protesting'
Megha
Last Updated: 11:48 AM, 19 June 2023
ફિલ્મ નિર્માતા ઓમ રાઉત દ્વારા નિર્મિત ફિલ્મ આદિપુરુષ આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મના કેટલાક ડાયલોગ્સને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ પર પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જે બાદ ડાયલોગ રાઇટર મનોજ મનોજ મુન્તાશીરે કહ્યું કે ટૂંક સમયમાં આ ડાયલોગને બદલવામાં આવશે. આ દરમિયાન ફિલ્મના સમર્થનમાં હનુમાનગઢીના મહંત રાજુદાસનું નિવેદન સામે આવ્યું છે. ફિલ્મના વિરોધ વિશે વાત કરતાં એમને કહ્યું છે કે માત્ર ટુકડેટુકડા અને રાષ્ટ્રવિરોધી ગેંગ જ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે.
પહેલાં ફિલ્મોમાં ભગવાનની ખોટી છબી બતાવવામાં આવતી
ફિલ્મ આદિપુરુષના વિરોધ પર વાત કરતાં એમને તેમણે કહ્યું કે, 'અગાઉ ફિલ્મોમાં બતાવવામાં આવતું હતું કે ભગવાન શિવ, કૃષ્ણ અને રામનું પોસ્ટર લગાવીને શોધ કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં તેઓ મળી શક્યા નથી. કાલી માને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. ડાબેરીઓ, ટુકડે-ટુકડે અને રાષ્ટ્રવિરોધી ટોળકીને આ ફિલ્મથી કોઈ વાંધો ન હતો પણ આજે તેમને આદિપુરુષ ફિલ્મથી સમસ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે, જે તદ્દન ખોટું છે. '
— Raju Das Hanumangadhi Ayodhya (@rajudasji99) June 19, 2023
'રામાયણને કાલ્પનિક કહેનારા ક્યારે માફી માંગશે?'
આગળ તેણે કહ્યું કે' ફિલ્મના કેટલાક સંવાદ ખોટા હોઈ શકે છે પરંતુ મનોજ મુન્તાશીરે તેને બદલવાનું કહ્યું છે અને તે પણ બદલવામાં આવશે. ' રાજુ દાસે કહ્યું કે 'આ તો માત્ર એક તસવીર છે, પરંતુ તે લોકો ક્યારે દેશ અને હિન્દુઓની માફી માંગશે, જેઓ રામાયણ સળગાવવાની વાત કરતા હતા, જેઓ રામચરિતમાનસ પર પ્રતિબંધ લગાવવાની વાત કરતા હતા. એ લોકો ક્યારે માફી માંગશે જેઓ સંતોને દુષ્કર્મી અને બળાત્કારી કહેતા હતા. '
તમને જણાવી દઈએ કે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સથી લઈને વિઝ્યુઅલ સુધી સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. આટલું જ નહીં, ફિલ્મના પાત્રોના ડ્રેસિંગ અને સ્ટાઈલને લઈને પણ તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime