બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / khalistanis burnt tiranga in protest at indian embassy in london
Kishor
Last Updated: 04:01 PM, 4 October 2023
સમગ્ર વિશ્વમાં ખાલિસ્તાની સમર્થકો ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. પરંતુ વિરોધના નામે હદ વટાવટા ખાલિસ્તાઓ હવે ભારતની ધીરજની કસોટી લઈ રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેનેડા બાદ હવે ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારત વિરુદ્ધ પ્રદર્શનો યોજયા હતા. જેમા 2જી ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતિ જ પસંદ કરવામાં આવી હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયેલા ખાલિસ્તાનિઓએ ઝંડા લહેરાવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સંગઠન દલ ખાલસા યુકેનો ગુરચરણ સિંહે પણ જોડાયો હતો. જેને ભારતના ત્રિરંગા પર આગ ચાંપી દીધી હતી. આ સિવાય ગૌમૂત્રનો છંટકાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વધુમાં તમણે બ્રિટનના વડા ઋષિ સુનકને પણ ગૌમૂત્ર પીવા કહ્યું હતું.
#Exclusive
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) October 3, 2023
Yesterday, Monday, on Gandhi Jayanti, Khalistanis held a protest outside the Indian High Commission in London (@HCI_London)
An Indian to the rescue of the Indian tricolour.
Gurcharan Singh - leader of Dal Khalsa UK affiliated with SFJ, poured cow urine on the… https://t.co/RFVB1LzbuG pic.twitter.com/x5bVrXxPXq
ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા જોડાયો
મહત્વનું છે ખાલિસ્તાની ગુરચરણ સિંહને પોલીસે ભગાડી દીધો હતો. જોકે તેની ધરપકડ કરવામાં આવી કે છોડી દેવામાં આવ્યો છે તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ દરમિયાન NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ટોચનું સ્થાન ધરાવતો ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા જોડાયો હતો. જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલ છે. તેણે નિજજરની હત્યાનો બદલો લેવાની ધમકી આપી પડકાર પણ ફેંક્યો હતો. પ્રદર્શનમાં ભારત વિરોધી નારા પણ લાગ્યા હતા. તો ભારતે આ મામલે બ્રિટિશ સરકારને ફરિયાદ કરી હતી અને કડક કામગીરીની માંગ ઉઠાવી હતી.
ISIની ભૂમિકા પર પણ મોટો સવાલ
પરમજીત સિંહ પમ્મા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલા છે. જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો સક્રિય સભ્ય છે. લાંબા સમયથી NIAના રડારમાં રહેલ તે ખાલિસ્તાની ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. જ્યારે ગુરચરણ સિંહ દલ ખાલસા યુકે સાથે સંકળાયેલા છે જેને દલ ખાલસા યુકેના નેતા ગણવામાં આવે છે. આ સંગઠનની કડીઓ ગુરપતવંત સિંહ પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસ સાથે પણ જોડાયેલી છે. ખાસ આ તમામ લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશન સાથે પણ સંકળાયેલ હોવાથી ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપવા મામલે ISIની ભૂમિકા પર પણ મોટો સવાલ ઉભો થયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime